For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ: બિશપનું મુસલમાનો પર વિવાદીત નિવેદન, બોલ્યા- 'લવ જેહાદ' પ્રેમ લગ્ન નહી યુદ્ધની રણનીતિ

તાજેતરમાં જ કેરળના સિરો-મલબાર ચર્ચના પાલા ડાયસસના બિશપ જોસેફ કલ્લારંગટે એક પત્ર લખીને જણાવ્યું હતું કે, ડાયસસ સાથે જોડાયેલા ખ્રિસ્તી પરિવારોની યુવતીઓ અને મહિલાઓને ફસાવવાનું ષડયંત્ર છે, તેથી તેઓએ સાવધ રહેવું જોઈએ. હવે તેમ

|
Google Oneindia Gujarati News

તાજેતરમાં જ કેરળના સિરો-મલબાર ચર્ચના પાલા ડાયસસના બિશપ જોસેફ કલ્લારંગટે એક પત્ર લખીને જણાવ્યું હતું કે, ડાયસસ સાથે જોડાયેલા ખ્રિસ્તી પરિવારોની યુવતીઓ અને મહિલાઓને ફસાવવાનું ષડયંત્ર છે, તેથી તેઓએ સાવધ રહેવું જોઈએ. હવે તેમણે 'લવ જેહાદ' અને 'નાર્કોટિક જેહાદ' સંબંધિત એક સમુદાય પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

Kerala

પાલા બિશપ જોસેફ કલ્લારંગટે અનુયાયીઓને સંબોધતા જણાવ્યું હતું કે તેમને સમજાયું છે કે ભારત જેવા દેશમાં હથિયારો ઉપાડવા અને અન્યને ખતમ કરવાનું સરળ નથી, તેથી તેઓ અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ તેમના ધર્મનો પ્રચાર અને બિન-મુસ્લિમોને ખતમ કરવાનો છે. તેઓ 'લવ જેહાદ' અને 'નાર્કોટિક જેહાદ' નો ઉપયોગ કરે છે.

પાલા બિશપે વધુમાં કહ્યું કે જેહાદીઓ, પ્રેમ અથવા અન્ય માધ્યમથી, અન્ય ધર્મોની મહિલાઓનો આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અથવા આર્થિક લાભ માટે ઉપયોગ કરે છે, જેઓ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ 'લવ જેહાદ' નથી, તેઓ અજ્ઞાનનો ઢોંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માત્ર એક પ્રેમ લગ્ન નથી, તે એક યુદ્ધ રણનીતિ છે.

અગાઉ, બિશપ જોસેફે ખ્રિસ્તી પરિવારોની યુવતીઓ અને મહિલાઓને ફસાવવાના હેતુથી "વિવિધ વિભાગો અને જૂથો" સામે ચેતવણી જારી કરી હતી. જો કે, તેમના પત્રમાં, બિશપ કલરંગતે તે જૂથોના વાસ્તવિક હેતુઓ સ્પષ્ટ કર્યા નથી. તેમના પત્રમાં તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ખ્રિસ્તી પરિવારની યુવતીઓને પોતાનું લક્ષ્ય બનાવી રહ્યા છે અને આ માટે જાળ બિછાવવાનું નાખવાનું કામ કરી રહ્યા છે.

English summary
Kerala: 'Love Jihad' Love Marriage Not War Strategy: Bishop
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X