ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની તબિયત બગડી, દિલ્હી એઈમ્સમાં દાખલ
ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની તબિયત લથડતા તેમને દિલ્હીના ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાઈન્સીઝમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની તબિયત લથડતા તેમને દિલ્હીના ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાઈન્સીઝમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમેસની પીઆરઓ ડૉક્ટર આરતી વિજે જણાવ્યુ કે કેશવ પ્રસાદ મૌર્યની તબિયત ખરાબ થવાના કારણે તેમને અહીં ભરતી કરવામાં આવ્યા છે.

સૂત્રો મુજબ 49 વર્ષીય કેશવપ્રસાદને માથામાં ઈજા થવાને કારણે તેમને અહી ભરતી કરવામાં આવ્યા છે. અહીં તેમની સર્જરી કરવામાં આવી શકે છે. મૌર્યા કાર્ડિયો ન્યૂરો સેન્ટરના પ્રાઈવેટ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત અત્યારે સ્થિર છે. ડૉક્ટરોની એક ટીમ સતત તેમની પર નજર રાખી રહ્યા છે.












Click it and Unblock the Notifications
