ચાઉમિન ખાવાથી દેશમાં બળાત્કાર વધી રહ્યાં છે: ખાપ
આ નિવેદન પર તર્ક રજૂ કરતાં તેમને કહ્યું કે ચાઉમિન ખાવાથી યુવકોના હાર્મોન્સમાં વધારો થાય છે જેના કારણે તે રેપ કરવા માટે ઉત્તેજીત થાય છે. આ પહેલાં તેમને બળાત્કાર રોકવા માટે સૂચન કર્યું હતું કે છોકરીઓના લગ્નની ઉંમર ઘટાડવામાં આવે. ખાપનું નિવેદન હેરાનગતિમાં મૂકી દે એવું છે, પરંતુ આપણ આ નેતાઓના નિવેદન પણ તેમની સમજણ દર્શાવે છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે આજકાલ છોકરા-છોકરીઓનું હળવા-મળવાનું વધી ગયું છે જેના કારણે બળાત્કારના બનાવો વધી રહ્યાં છે.
મમતા બેનર્જીનું કહેવું છે કે પહેલા છોકરો-છોકરી હાથ પકડીને ચાલતા તો તેમના માતા-પિતા તેમને ધમકાવી દેતાં હતાં, પરંતુ અત્યારે તો બધું જ ખુલ્લેઆમ થઇ રહ્યું છે. જેની સમાજ પર ખરાબ અસર વર્તાઇ રહી છે. તેમને મીડિયાને દોષી ગણાવતાં કહ્યું હતું કે નેગેટીવ સમાચાર બતાવવાથી સમાજ પર ખરાબ અસર પડે છે માટે મીડીયા આમ ન કરવું જોઇએ.