For Quick Alerts
For Daily Alerts
બધી જ તપાસ કેજરીવાલ કરી લે: દિગ્વિજય સિંહ
જ્યારે દિગ્વિજય સિંહે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે લગાવેલા બધા આરોપો પાયાવિહોણા અને ખોટા સાબિત થયાં છે. ખુર્શીદ અને તેમની પત્નીએ શાલિનતાથી બધા પ્રશ્નોના જવાબ આપી દિધાં છે. કેજરીવાલ ખોટા છે ખુર્શીદ નહી.
આટલું જ નહી કોંગ્રેસ મહાસચિવે કેગના રિપોર્ટ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે વડાપ્રધાન અને નાણાંમંત્રીએ આ મુદ્દે તપાસ કરાવવી જોઇએ કે કેગ રિપોર્ટ સંસદમાં આવતાં પહેલાં મીડિયામાં કેવી રીતે લીક થયો અને તે પણ કોંગ્રેસના વિરોધમાં. આ એક ગંભીર તપાસનો વિષય છે. વ્યંગ કરતાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આ મુદ્દે કેજરીવાલને તપાસ સોંપવી જોઇએ કારણ કે તેમને તપાસ કરાવવાનો ખૂબ શોખ છે અને તેમને હંમેશા ડર રહે છે કે તપાસ નિષ્પક્ષ થતી નથી. માટે આ જવાબદારી તેમને સોંપવી જોઇએ.
Comments
digvijay singh salman khurshid scam ngo arvind kejriwal iac congress beni prasad verma દિગ્વિજય સિંહ સલમાન ખુર્શીદ કૌંભાડ એનજીઓ અરવિંદ કેજરીવાલ આઇએસી કોંગ્રેસ બેની પ્રસાદ વર્મા
English summary
Salman Khrshid is not wrong, Kejriwal is Wrong said Digvijay Singh. Kejrwial should be handed over all probes Singh Said.
Story first published: Tuesday, October 16, 2012, 9:30 [IST]