For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બધી જ તપાસ કેજરીવાલ કરી લે: દિગ્વિજય સિંહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

digvijay-singh
નવી દિલ્હી, 16 ઑક્ટોબર: સલમાન ખુર્શીદના બચાવમાં હવે કોંગેસ સરકાર ઉતરી આવી છે. બેની પ્રસાદ વર્માએ તેમને પાક કહ્યાં છે તો બીજી અતરફ અંબિકા સોનીએ કહ્યું છે કે તે સંન્માનિત નેતા છે. માટે તેમને રાજીનામા અંગે વિચારવું પણ ખોટું છે.

જ્યારે દિગ્વિજય સિંહે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે લગાવેલા બધા આરોપો પાયાવિહોણા અને ખોટા સાબિત થયાં છે. ખુર્શીદ અને તેમની પત્નીએ શાલિનતાથી બધા પ્રશ્નોના જવાબ આપી દિધાં છે. કેજરીવાલ ખોટા છે ખુર્શીદ નહી.

આટલું જ નહી કોંગ્રેસ મહાસચિવે કેગના રિપોર્ટ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે વડાપ્રધાન અને નાણાંમંત્રીએ આ મુદ્દે તપાસ કરાવવી જોઇએ કે કેગ રિપોર્ટ સંસદમાં આવતાં પહેલાં મીડિયામાં કેવી રીતે લીક થયો અને તે પણ કોંગ્રેસના વિરોધમાં. આ એક ગંભીર તપાસનો વિષય છે. વ્યંગ કરતાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આ મુદ્દે કેજરીવાલને તપાસ સોંપવી જોઇએ કારણ કે તેમને તપાસ કરાવવાનો ખૂબ શોખ છે અને તેમને હંમેશા ડર રહે છે કે તપાસ નિષ્પક્ષ થતી નથી. માટે આ જવાબદારી તેમને સોંપવી જોઇએ.

English summary
Salman Khrshid is not wrong, Kejriwal is Wrong said Digvijay Singh. Kejrwial should be handed over all probes Singh Said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X