For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંગફિશર તાળાબંધી: કર્મચારીઓ સાથે નિર્ણાયક બેઠક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

king-fisher-employee-banner
નવી દિલ્હી, 17 ઑક્ટોબર: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓના બાકી પગારના મુદ્દે સર્જાયેલી મડાગાંઠને ઉકેલવા માટે તે આજે મુંબઇમાં પોતાના કર્મચારીના પ્રતિનિધીઓ સાથે એક બેઠક યોજશે. 20 ઑક્ટોબર સુધીમાં પોતાની એરલાઇન્સને તાળાબંધી કરવાની પહેલાં જ જાહેરાત કરી દિધી છે. એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર કિંગફિશરના સીઇઓ સંજય અગ્રવાલે કર્મચારીઓને પત્ર લખીને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું.

છેલ્લા સાત મહિનાથી પગાર ચૂકવવામાં ન આવ્યો હોવાથી એરલાઇન્સના કર્મચારીઓ હડતાળ પર છે. તેમનું કહેવું છે કે તેમનો બાકી પગાર ચૂકવાવામાં આવે ત્યાર બાદ તે નોકરી પર આવશે. કર્મચારીઓની માંગણીના કારણે મેનેજમેન્ટ તાળબંધીની સમયમયાર્દાને આગળ વધારી રહી છે અને જેના કારણે ચાર ઑક્ટોબરથી ઉડાણો રદ કરવામાં આવી છે.

તાળાબંધી ઘોષણા બાદ બધી જ ઉડાનો રદ કરવામાં આવી છે અને ડીજીસીએએ વિજય માલ્યાની એરલાઇન્સને ટિકીટોનું વેચાણ બંધ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ કિંગફિશરે તાળાબંધી સમાપ્ત કર્યા વિના ગત સપ્તાહથી ટીકીટોનું બુકિંગ શરૂ કરી દિધું છે.

ડીજીસીજીએ પાંચ ઓક્ટોબરના રોજ કિંગફિશરને નોટીસ ફટકારીને પૂછ્યું હતું કે તે સુરક્ષિત અને વિશ્વાસપાત્ર સેવા પુરી પાડતી નથી માટે તેનું લાઇસન્સ અટકાવવામાં આવે અથવા તો રદ કરવામાં આવે. ડીજીસીજીએ આ નોટીસનો જવાબ 15 દિવસમાં આપવાનું કહ્યું હતું.

નાગરિક ઉડ્ડયન મંત્રી અજિત સિંહે કહ્યું હતું કે એરલાઇન્સે પોતાની ઉડાનો શરૂ કરવાની પરવાનગી મેળવ્યા પહેલાં તેને સુરક્ષા અને પગારની ચૂકવણી વિશે ઠોસ યોજના ડીજીસીએ સમક્ષ રજૂ કરવી પડશે. કિંગફિશર 8,000 કરોડ રૂપિયાના નુકશાનમાં છે. અને તેની ઉપર 7,000 કરોડ રૂપિયાનું દેવું છે.

English summary
With no end in sight to the 16-day impasse over a lockout and strike by its workers, Kingfisher Airlines management has called a meeting with their representatives on Wednesday in a last-ditch effort to convince them to return to work.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X