For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગાળ કિંગફિશર દ્રારા પગાર ચૂકવવામાં ન આવતાં પાયલોટોની હડતાળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kingfisher airline
મુંબઇ, 1 ઑક્ટોબર: સોમવારે કિંગફિશર એરલાઇન્સના એન્જીનિયરો અને પાયલોટોની હડતાળના કારણે ડઝનથી ફ્લાઇટ રદ કરાઇ છે. કિંગફિશર એરલાઇન્સમાં પાયલોટો અને એન્જીનિયરોનો એક વર્ગ પોતાની માંગણીને લઇને હડતાળ પર ઉતર્યો છે. હડતાળના કારણે દિલ્હી-મુંબઇના રૂટ સહિત એરલાઇન્સની કુલ 50 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પગાર નહીં મળતા કિંગફિશર એરલાઇન્સના પાયલોટ અને એન્જીનિયરોનો એક વર્ગ મોડી રાતે હડતાળ પર ઉતરી જવાથી ઉડાણ પર અસર જોવા મળી રહી છે.

ખાનગી વિમાન કંપની કિંગફિશર એરલાઇન્સની ફ્લાઇટ રદ કરવામાં આવતાં વિમાની વિભાગના નિયામક ડીજીસીએ સોમવારે સંચાલન અંગે ચર્ચા કરશે. આ હડતાળમાં મુંબઇના પાયલોટો અને એન્જીયરો પણ જોડાયા છે.

કિંગફિશરના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે દિલ્હી અને મુંબઇના એન્જીનિયરો અને પાયલોટો હડતાળ પર ઉતરી ગયા હતા. તે લોકો છેલ્લા સાત મહિનાથી ચૂકવામાં ન આવેલા પગારને તાત્કાલીક ચૂકવવામાં આવે એમ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હડતાળ કારણે કેટલીક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જો કે હાલમાં મેનેજર કક્ષાના એન્જીનિયરોની મદદ લેવામાં આવી રહી છે.

English summary
Kingfisher flight operations were crippled with the airline engineers going on strike protesting non-payment of salary since March on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X