Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણો કોણ છે વસીમ રિઝવી? સાઉદી અરબ, જાપાનમાં કરી ચુક્યા છે નોકરી, બન્યા હરબીર નારાયણ

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે. ગાઝિયાબાદના દશના દેવી મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદ ગિરીએ તેમને સનાતન ધર્મ અપનાવરાવ્યો છે. આ દરમિયાન ડાસના મંદિરમાં અનેક ધાર્મિક વિધિઓ થઈ હતી. હિ

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે. ગાઝિયાબાદના દશના દેવી મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદ ગિરીએ તેમને સનાતન ધર્મ અપનાવરાવ્યો છે. આ દરમિયાન ડાસના મંદિરમાં અનેક ધાર્મિક વિધિઓ થઈ હતી. હિન્દુ ધર્મ અપનાવવાથી વસીમ રિઝવી ચર્ચામાં આવી ગયો છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે તે સમાચારમાં આવ્યા હોય. રિઝવી અવારનવાર પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં રહે છે. રિઝવીએ હિંદુ ધર્મ અપનાવવાની જાહેરાત કરતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વસીમ રિઝવીએ તેને ઘર વાપસી ગણાવી છે.

કોણ છે વસીમ રિઝવી?

કોણ છે વસીમ રિઝવી?

વસીમ રિઝવીનો જન્મ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેનો પરિવાર કાશ્મીરી વિસ્તારમાં રહેતો હતો. પિતા રેલ્વેમાં નોકરી કરતા હતા. વસીમ રિઝવી છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. ભાઈ-બહેનમાં સૌથી મોટા હોવાથી પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ. ઈન્ટર સુધી અભ્યાસ કર્યા બાદ વસીમ રિઝવીએ નૈનીતાલની એક કોલેજમાં પ્રવેશ મેળવ્યો. જે બાદ તે સાઉદી અરેબિયા ગયા હતા. અહીં તેમણે એક હોટલમાં નાની નોકરી કરી. થોડા દિવસો પછી, તે જાપાન ગયા, જ્યાં તેમણે એક કારખાનામાં નોકરી મળી. જાપાનમાં નોકરી કર્યા પછી વસીમ રિઝવી અમેરિકા ગયો અને અહીં એક સ્ટોરમાં કામ કર્યું હતુ.

વક્ફ બોર્ડના સભ્યથી ચેરમેન સુધીની સફર

વક્ફ બોર્ડના સભ્યથી ચેરમેન સુધીની સફર

લખનઉ પરત ફરતા જ વસીમ રિઝવી લોકોની વચ્ચે બેસવા લાગ્યા. ધીમે ધીમે તેમના સામાજિક સંબંધો સારા થવા લાગ્યા. આ પછી તેમણે મહાનગરપાલિકાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું. અહીંથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી. આ પછી, રિઝવી વક્ફ બોર્ડના સભ્ય બન્યા અને અધ્યક્ષ પદ સુધીની સફર કરી. રિઝવી લગભગ 10 વર્ષ સુધી વક્ફ બોર્ડમાં હતા.

2012માં રિઝવીને સપાએ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા

2012માં રિઝવીને સપાએ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા

વર્ષ 2000માં વસીમ રિઝવી કાશ્મીરી મોહલ્લા વોર્ડમાંથી સમાજવાદી પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. સપામાં હતા ત્યારે તેઓ વર્ષ 2008માં શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના સભ્ય બન્યા હતા. 2012માં, સમાજવાદી પાર્ટીએ રિઝવીને શિયા વક્ફ બોર્ડની મિલકતોમાં હેરાફેરીના આરોપોથી ઘેરાયા બાદ 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. તેમણે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, ત્યાંથી તેમને રાહત મળી.

વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે વસીમ રિઝવી

વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે વસીમ રિઝવી

વસીમ રિઝવી અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. રિઝવીએ એક પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તકમાં તેણે ઈસ્લામ અને પયગંબર વિશે એવી ટિપ્પણીઓ કરી છે, જેની ટીકા થઈ હતી. વસીમ રિઝવીએ ઇસ્લામમાં સુધારાની પણ માંગ કરી છે. એટલું જ નહીં રિઝવીએ કુરાનમાંથી 26 આયતો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X