Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kolkata Rape Murder Case : સહયોગી પાર્ટીઓથી કેમ નારાજ છે મમતા બેનર્જી?

કોલકત્તામાં નિવાસી મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાએ મોટો હંગામો સર્જી દીધો છે. હવે આ મુદ્દે રાજનીતિ તેજ થઈ રહી છે.

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિપક્ષ અને સાથીઓ સામે પણ મોરચો ખોલ્યો છે.

Kolkata Rape Murder Case

મમતા બેનર્જીએ ભાજપ-સીપીએમ પર બંગાળમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવાનો આરોપ લગાવ્યો છે. કોલકાતા નજીક બેહાલામાં રેલી દરમિયાન મમતા બેનર્જીએ ઈન્ડિયા બ્લોકમાં તેમના સાથી કોંગ્રેસને પણ નિશાન બનાવ્યુ. જો કે તેમણે ભાજપ અને સીપીએમ પર તેમની સરકારને અસ્થિર કરીને સત્તા કબજે કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો.

જણાવી દઈએ કે, કોલકાતાની ઘટનાના એક સપ્તાહ બાદ રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જે રીતે જુનિયર ડોકટરો સામે ક્રૂર અને અમાનવીય કૃત્યોના સ્તરો સામે આવી રહ્યા છે, જો કોલેજ જેવી જગ્યાએ ડોકટરો સુરક્ષિત નહીં હોય તો માતા-પિતા તેમની પુત્રીઓને અભ્યાસ માટે કેવી રીતે મોકલશે?

તેમણે કહ્યું કે, પીડિતને ન્યાય આપવાને બદલે આરોપીને બચાવવાનો પ્રયાસ હોસ્પિટલ અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા કરે છે. રાહુલે પોતાના નિવેદનમાં મમતા સરકારનું નામ નથી લીધું પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી નારાજ થયા છે.

કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે, હું કોંગ્રેસને પૂછું છું, તમારા (કોંગ્રેસ શાસિત) રાજ્યોમાં કેટલી ઘટનાઓ બની છે અને તમે શું પગલાં લીધાં?

જો તે મમતાના નિશાના પર મુખ્યત્વે સીપીએમ અને બીજેપી જ હતા. ભાજપ ત્યાં મુખ્ય વિપક્ષી પાર્ટી છે પરંતુ CPM ઈન્ડિયા બ્લોકમાં TMCનો સહયોગી છે અને બંને પક્ષોના નેતાઓ ગઠબંધનની બેઠકોમાં ભાગ લેતા રહ્યા છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ અને સીપીએમ કેન્દ્રના સમર્થનથી બંગાળને બદનામ કરવા અને પરિસ્થિતિનો લાભ લેવા માટે સંકલિત અભિગમ અપનાવ્યો છે. તેઓ અહીં બાંગ્લાદેશ બનાવવા માંગે છે. મને ખુરશીની કોઈ ઈચ્છા નથી. હું અહીં લોકોની સેવા કરવા આવી છું.

તેમણે યુપીથી મણિપુર સુધીના ભાજપ શાસિત રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો અને પશ્ચિમ બંગાળમાં અગાઉની સીપીએમ સરકાર દરમિયાન બનેલી ઘટનાઓને યાદ કરીને પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. મમતાએ કહ્યું કે, માત્ર સોશિયલ મીડિયા અને મીડિયા ફૂટેજ પર કેટલીક લાઈક્સ માટે ઘટના પર રાજનીતિ કરવાનો પ્રયાસ ન કરો.

તેમણે કહ્યું કે, ટીએમસી 17 ઓગસ્ટે રામ-બામ વિરૂદ્ધ પશ્ચિમ બંગાળને બદનામ કરવાના કાવતરા વિરુદ્ધ વિરોધ રેલીનું આયોજન કરશે. જણાવી દઈએ કે, મમતા સરકાર માટે રાજકીય રીતે આ મુશ્કેલ સમય છે. પરંતુ મુશ્કેલીઓ હોવા છતાં પણ તેઓ આ મુદ્દાને રાજકીય રંગ આપવાના પ્રયાસોમાં પાછળ નથી.

મમતા સરકારના ઈનકાર છતાં કોલકત્તા હાઈકોર્ટે ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. હવે મમતા કહે છે કે અમારી માંગ છે કે ગુનેગારોને રવિવાર સુધીમાં ફાંસી આપવામાં આવે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X