કુમાર વિશ્વાસ યુવતી સાથે સુતા રંગે હાથે ઝડપાયા હતા!
નવી દિલ્હી, 30 માર્ચ: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા વિશ્વાસ અંગે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વિશ્વાસનો એક ઇમેઇલ સામે આવ્યો છે જેમાં તેમની પર આરોપ છે કે કુમાર વિશ્વાસ લોકસભા ચૂંટણી દરમિયાન અમેઠીમાં એક વોલન્ટિયર મહિલાની સાથે સૂઇ જવાની વાત સામે આવી છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન મહિલા સાથે ઊંઘતા હતા
અંગ્રેજી અખબાર ડીએનએમાં છપાયેલ સમાચાર અનુસાર કુમાર વિશ્વાસ અને કેજરીવાલની વચ્ચે થયેલી વાતાઘાટોની લાંબી સીરિઝ છે જેમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. ખબર અનુસાર કુમાર વિશ્વાસ અમેઠીમાં આપ મહિલા વોલન્ટિયરની સાથે ઊંઘતા હતા. એટલું જ નહીં તેમને વાંધાજનક સ્થિતિમાં તેમની પત્નીએ પણ રંગેહાથો પકડ્યા હતા.
કેજરીવાલે આપ્યું હતું તપાસનું આશ્વાસન
પાર્ટીના નેતા અજય વોહરાએ કેજરીવાલને એક મેઇલ મોકલ્યો છે જેમાં કુમાર વિશ્વાસ પર આ આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં તેમણે કુમાર પર કાળાનાણું પણ લેવાનો આરોપ લગાવ્યો છે. 24 ડિસેમ્બરના રોજ મોકલવામાં આવેલ આ મેઇલ બાદ કેજરીવાલે વોહરાને આ વાતનું આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલાની તપાસ કરાવશે. ત્યારબાદ કેજરીવાલે સંસદીય બાબતની કમિટિને આ મામલે વધુ તપાસ કરવા જણાવ્યું.

વિશ્વાસે કેજરીવાલ પર ઉઠાવ્યા હતા સવાલ
જ્યારે કુમાર વિશ્વાસે કેજરીવાલને મોકલેલ મેઇલમાં જણાવ્યું છે કે કેજરીવાલને ખુદ આ અંગે પૂછીને મારો પક્ષ જાણવો જોઇતો હતો. મેઇલમાં વિશ્વાસ કેજરીવાલને આ મામલામાં તેમની પત્નીનું નામ લાવવાની વાતનો વિરોધ નોંધાવે છે.

કેજરીવાલ પાસે છે મામલાની ઓડિયો ટેપ
એટલું જ નહીં વોહરાના આ મેઇલ બાદ પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો દાવો છે કે અરવિંદ કેજરીવાલની પાસે આ મામલાની ક્લિપ પહેલાથી હતી. આ વાત એ પરિપ્રેક્ષ્યમાં કહેવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે વોહરાએ મેઇલમાં વિશ્વાસની વિરુદ્ધ ઓડિયો ટેપ આપવાની વાત કહી.

કેજરીવાલ ફેલ થયા પહેલી મોટી પરીક્ષામાં
વોહરા પોતાના મેઇલમાં કહે છે કે આ કેજરીવાલની પહેલી સૌથી મોટી ટેસ્ટ છે જ્યારે તેમણે પોતાના નજીકના મિત્ર વિરુદ્ધ પગલું ભરવાનું હતું. તેમણે જણાવ્યું કે મીડિયા આ ક્લિપનો ખુલાસો કરે છે તો પાર્ટીની છબીને નુકસાન પહોંચશે, અને તેઓ પોતે આ વીડિયો ક્લિપને મીડિયામાં નહીં આપે. પરંતુ પાર્ટીના આતંરિક લોકપાલ પાસે આ અંગેની તપાસ બાદ કાર્યવાહી કરવાની વિનંતી કરશે.

કેજરીવાલ અને વિશ્વાસે મામલાને દબાવી દીધો
જ્યારે ભૂષણે આ મામલાને લોકપાલમાં આપવાની વાત કહી છે. સૂત્રોનું કહેવું છે કે આ મામલામાં ક્યારેય પણ તપાસ નથી કરવામાં આવી. હાલમાં જ એ મેઇલને કેજરીવાલ અને વિશ્વાસની વચ્ચે શેર કરીને મામલાને રફા-દફા કરી દેવામાં આવ્યો છે.

આપના તમામ વરિષ્ઠ નેતાઓને પણ છે જાણ
અત્રે નોંધનીય છે કે આ મેઇલને પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, દિલીપ પાંડે, આશુતોષ, આશીષ ખેતાન, મનીષ સિસોદિયા, આશીશ તલવાર, સંજય સિંહ વગેરેને પણ મોકલવામાં આવ્યા છે, જેમાં આ તમામ નેતાઓએ જણાવ્યું છે કે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં યોગેન્દ્ર યાદવ કહે છે કે વોહરનાને તેમની વાત કહેવાનો અધિકાર છે.












Click it and Unblock the Notifications
