કમલેશ તિવારી મર્ડર કેસ વિશે યોગી સરકાર પર ભડક્યા કુમાર વિશ્વાસ, કર્યુ આ ટ્વીટ
આમ આદમી પાર્ટીના બાગી નેતા અને કવિ કુમાર વિશ્વાસે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર મોટો હુમલો કર્યો છે.
આમ આદમી પાર્ટીના બાગી નેતા અને કવિ કુમાર વિશ્વાસે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર મોટો હુમલો કર્યો છે. યુપીમાં ધોળે દિવસે હિંદુ સમાજ પાર્ટી અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા બાદ સીએમ યોગી આદિત્યનાથના વલણ પર કમલેશની મા દ્વારા ઉઠાવાયેલા સવાલનુ કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને સમર્થન કર્યુ છે. કુમારે લખ્યુ, નકામી વ્યવસ્થા તમારા આખા પરિવારને મારી પણ દે ત્યારે પણ તમારે તેમના દરબારમાં જવુ પડશે.

તમને જણાવી દઈએ કે કમલેશ તિવારીની હત્યા બાદ સીએમ યોગીએ તેમના પરિજનોને મળવા માટે લખનઉ બોલાવ્યા. મુલાકાત બાદ કમલેશની માએ કહ્યુ, 'સીએમના વલણથી નથી લાગતુ કે તેમને કોઈ ફરક પડ્યો હો. મને સીએમ યોગી અને તેમના હાવભાવથી વધુ કંઈ આશા નથી.' કમલેશ તિવારીની માના આ નિવેદન પર કુમાર વિશ્વાસે પણ યોગી સરકારને આડેહાથ લીધા છે. તેમણે એક તરફ જ્યં યોગી સરકારને નકામી ગણાવી ત્યાં બીજી તરફ કમલેશના પરિજનોને લખનઉ બોલાવવા પર પણ સીએમ યોગીની નિંદા કરી છે.
કુમારે ટ્ટવીટમાં કહી આ વાત
કુમાર વિશ્વાસે પોતાના ટ્વીટમાં લખ્યુ, નકામી વ્યવસ્થા તમારા ઘરવાળાને મારી દે તો પણ એ વ્યવસ્થાના સ્વયંભૂ માલિકોના દરબારમાં જવુ જ પડશે. સનાતન સંસ્કારોમાં મૃત્યુ બાદ તેરમી સુધી પરિજન ઘર ના છોડી શકે પરંતુ મૃતક ભલે કાયદાનો રખેવાળ બુલંદશહરનો ઈન્સ્પેક્ટર હોય કે કટ્ટરપંથીઓનો શિકાર, જવુ પડશે દરબારમાં.
કેમ કહ્યુ હતુ કમલેશ તિવારીની માએ
મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ જ્યારે મીડિયાએ કમલેશ તિવારીની માને પૂછ્યુ કે શું તે સંતુષ્ટ છે તો આના પર તેમણે કહ્યુ હતુ કે સંતુષ્ટ શું હોય. અમે સીએમને પૂછ્યુ કે કમલેશની સુરક્ષા કેમ હટાવવામાં આવી, તેમનુ બેરહેમીથી હત્યા કેમ થઈ. હિંદુ ધર્મમાં કોઈના મૃત્યુ બાદ ઘરવાળા 13 દિવસ સુધી બહાર નથી નીકળી શકતા પરંતુ સીએમનો આદેશ હતો અને પોલિસ પાછળ પડી હતી એટલા માટે જબરદસ્તી અમારે આવવુ પડ્યુ. તેમણે આગળ કહ્યુ કે સીએમના હાવભાવથી તેમને કોઈ અપેક્ષા નથી,જો અમને ન્યા ન મળ્યો તો અમે સ્વયં તલવાર ઉઠાવીશુ.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
