Video: સુપ્રીમ કોર્ટના ફેસલા પર કુમારસ્વામીએ કંઈ કોમેન્ટ ન કરી
Video: સુપ્રીમ કોર્ટના ફેસલા પર કુમારસ્વામીએ કંઈ કોમેન્ટ ન કરી
નવી દિલ્હીઃ કર્ણાટકના 1 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સંભળાવતા કહ્યું કે વિશ્વાસમત માટે 15 બાગી ધારાસભ્યોને મજબૂર ન કરી શકાય. બાગી ધારાસભ્યોના રાજીનામા પર વિધાનસભા સ્પીકર પોતાના વિવેકથી ફેસલો લઈ શકે છે. અદાલતના ફેસલા બાદ કર્ણાટકની જેડીએસ-કોંગ્રેસ સરકાર પરેશાનીમાં દેખાઈ રહી છે. કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામીથી અદાલતના ફેસલાને લઈ સવાલ કરવામાં આવ્યો તો તેઓ સવાલોથી બચતા જોવા મળ્યા. બેંગ્લોરમાં પત્રકારોએ સુપ્રીમ કોર્ટના ફેસલાને લઈ તેમને સવાલ કર્યા તો તેઓ આના પર કમેન્ટ ન કરી પોતાની સાથે રહેલ લોકો સાથે વાતચીત કરવા લાગ્યા.

કર્ણાટકના જેડીએસ અને કોંગ્રેસના 15 ધારાસભ્યોએ વિધાનસભા સભ્યતાથી રાજીનામું આપી દીધું. આ ધારાસભ્યોએ કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારના રાજીનામા સ્વીકારવામાં મોડું થયું હોવાની વાત કહેતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
બાગી ધારાસભ્યોની અરજી પર બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાના ફેસલામાં 3 મહત્વની વાત કહી. જેમાં પહેલી એ કે બાગી ધારાસભ્યોનું રાજીનામું સ્વીકારવું જોઈએ. બીજી વાત ધારાસભ્યોના રાજીનામા પર ફેસલો લેવાનો સ્પીકરને પૂરો અધિકાર છે. અખરીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફ્લોર ટેસ્ટ દરમિયાન બાગી ધારાસભ્યો પર કોઈપણ પ્રકારનો કોઈ દબાવ ન નાખી શકાય. મતલબ કે કોંગ્રેસ-જેડીએસ તરફથી જો વિહિપ જાહર કરવામાં આવે છે તો એ જરૂરી નથી કે ધારાસભ્યો તેનું પાલન કરે. તેમણે શું કરવું છે તે અંગે તેઓ પોતાના વિવેક અનુસાર ફેસલો લઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે બાગી ધારાસભ્યોની અરજી પર ફેસલો આપ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યં કે સરકાર ચાલી નહિ શકે કેમ કે આ લોકો પાસે નંબર નથી. મુખ્યમંત્રીએ જનાદેશ ગુમાવી દીધો છે, જ્યારે કોઈ બહુમત નથી તો રાજીનામું આપવું જોઈએ. યેદિયુરપ્પાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આ ફેસલો સંવિધાન અને લોકતંત્રની જીત છે, આ તમામ બાગી ધારાસભ્યોની નૈતિક જીત છે.
#WATCH Karnataka CM HD Kumaraswamy declines to comment, when asked about Supreme Court's verdict on Karnataka rebel MLAs. #Karnataka pic.twitter.com/aR1ww6aNgl
— ANI (@ANI) July 17, 2019
18 જુલાઈએ કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે જેમાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસ-જેડીએસે પોતાનું બહુમત સિદ્ધ કરવું પડશે. જો કોંગ્રેસ-જેડીએસ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરિયાન બહુમત સિદ્ધ કરવામાં સફળ ન થઈ શકે તો સરકાર પડી ભાંગશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
