ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા આતંકીઓને સેનાએ મારી નાખ્યા
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા આતંકીઓને સેનાએ મારી નાખ્યા છે.
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા આતંકીઓને સેનાએ મારી નાખ્યા છે. કુપવાડામાં પાકિસ્તાન સાથે લાગેલી એલઓસી પર ઘૂસણખોરીની કોશિશ સેના ઘ્વારા નષ્ટ કરી દેવામાં આવી અને આતંકીઓને મારી નાખવામાં આવ્યા. જયારે સામે તરફ થી પાકિસ્તાન ઘ્વારા સતત સીઝફાયર ઉલ્લંગન કરવામાં આવી રહ્યું છે. અખનૂર માં ફરી એકવાર પાકિસ્તાન તરફ થી ગોળીબારી કરવામાં આવી, મોટાર્સ પણ ઉપયોગ કરવામાં આવી છે.
પાકિસ્તાની રેંજર્સ ઘ્વારા આંતરરાષ્ટ્રીય સીમા પર ભારતીય ચોકીઓને નિશાનો બનાવીને મોટાર્સ દાગવામાં આવી. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગને કારણે એક પોલીસકર્મી અને એક મહિલા સહીત 13 લોકો ઘાયલ થયા છે. આ પહેલા શનિવારે આતંકવાદીઓ ઘ્વારા સીઆરપીએસ વાહનોને નિશાનો બનાવવામાં આવ્યો હતો. શ્રીનગર માં સીઆરપીએફ વાહનો પર સતત 3 ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. જેસ-એ-મોહમ્મદ ઘ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી હતી.
પાકિસ્તાન તરફ થી સતત યુદ્ધવિરામનું ઉલ્લંગન કરવામાં આવી રહ્યું છે. એક તરફ જ્યાં પાકિસ્તાની રેંજર્સ યુદ્ધવિરામનું ઉલ્લંગન કરીને ભારતીય ચોકીઓ પર ગોળીબારી કરી રહ્યા છે, ત્યાં જ બીજી બાજુ ફાયરિંગની આડમાં આંતકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે.