Kuwait Fire : મોટી સંખ્યામાં ભારતીયો કુવૈતમાં નોકરી માટે કેમ જાય છે?
કુવૈતના દક્ષિણ મંગાફમાં એક ઈમારતમાં લાગેલી આગમાં 41 ભારતીય લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. આ સિવાય 90 લોકોને બચાવી લેવાયા છે.
આ સ્થિતીમાં એ સવાલ છે કે મોટી સંખ્યામાં ભારતીયો કુવૈત કેમ જાય છે? તેમને કેટલો પગાર અને સુવિધાઓ મળે છે?
આગની ઘટના બાદ દુનિયાભરમાં કુવૈતની ચર્ચા થઈ રહી છે. આ ઘટના સમયે તે બિલ્ડિંગમાં 160 લોકો હાજર હતા. લગભગ તમામ લોકો એક જ કંપનીમાં કામ કરતા હતા. જ્યાં આગ લાગી ત્યાં ભારતીયો સહિત ઘણા દેશોના લોકો મોટી સંખ્યામાં રહે છે.

જણાવી દઈએ કે, નોકરી માટે કુવૈત જતા ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. કુવૈતની કુલ વસ્તીના 21 ટકા ભારતીયો છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસના ડેટા અનુસાર, અહીં કામ કરતી વસ્તીમાં 30 ટકા ભારતીયો છે.
ભારતીય નાગરિકો કુવૈતમાં ઘણા કારણોસર રહે છે. સૌથી મોટા કારણો નોકરી, ધંધો અને પ્રવાસન છે. આજે કુવૈત નોકરીની બાબતમાં ભારતીયોને આકર્ષે છે. તેના કારણોમાં કરમુક્ત આવક, મકાનો પર સબસિડી, ઓછા વ્યાજે લોન, ઉત્તમ પગાર પેકેજ, તબીબી સહાય અને નોકરીની ઘણી તકો છે. જેના કારણે ભારતીયો કુવૈત પહોંચે છે.
અહીંના મોટાભાગના ભારતીયો ઓઈલ, ગેસ, કન્સ્ટ્રક્શન સેક્ટર, હેલ્થકેર અને ફાઈનાન્સ સેક્ટરમાં કામ કરે છે. પ્રોફેશનલ લેવલના ફાયદા તેમને અહીં નોકરી સાથે જોડાયેલા રાખે છે. આ રીતે ત્યાં જતા ભારતીયોની સંખ્યા વધી રહી છે. બંને દેશો વચ્ચેના સારા સંબંધોનો લાભ પણ ભારતીયોને મળે છે.
કુવૈતમાં ભારતીયોને કેટલો પગાર મળે છે?
અહેવાલો અનુસાર, લોઅરથી મિડ રેન્જમાં કામ કરતા પ્રોફેશનલ્સનો પગાર 2.70 લાખથી 8 લાખ રૂપિયા સુધીની છે. જ્યારે અત્યંત કુશળ અને અનુભવી વ્યાવસાયિકોના પગારનો આંકડો આના કરતા ઘણો વધારે છે. જ્યારે કુવૈતમાં અકુશળ મજૂર, મદદગારો અને સફાઈ કામદારોને દર મહિને લગભગ 100 કુવૈતી દિનાર એટલે કે લગભગ 27 હજાર રૂપિયા મળે છે. જ્યારે નિમ્ન કુશળ લોકોને દર મહિને 38 હજારથી 46 હજાર મળે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
