લખન ભૈયા બનાવટી એન્કાઉન્ટર: 13 પોલીસકર્મી સહિત 21ને ઉંમરકેદ

લખન ભૈયા પર 12 હત્યા સહિત કુલ 19 કેસ દાખલ હતા. કુલ 21 આરોપીઓમાંથી 13 મુંબઇ પોલીસ સાથે જોડાયેલા છે. તેમના લખનને ઘરમાંથી ઉઠવવાનો અને બનાવટી એન્કાઉન્ટરમાં હત્યા કરવાનો આરોપ હતો. ઘટનાના થોડા સમય બાદ લખનના ભાઇ રામ પ્રસાદ ગુપ્તાની ફરિયાદ પર બોમ્બે હાઇકોર્ટે આખા કેસમાં તપાસના આદેશ આપ્યા હતા. તપાસ પોલીસવાળા ખોટા સાબિત થયા અને તેમના પર બનાવટી એન્કાઉન્ટરનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ બધા પોલીસવાળાઓ પર અપહરણ અને હત્યાના આરોપ લાગેલા છે. લખન ભૈયાના ભાઇનો આરોપ છે કે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદિપ શર્માએ તેમના ભાઇને મારવાની સોપારી લીધી હતી.
જે પોલીસ અધિકારીઓને સજા સંભળાવવામાં આવી છે તેમના નામ:
પ્રદિપ સૂર્યવંશી એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર
નિતિન સરતેપ પોલીસ ઇન્સ્પેક્ટર
અરવિંદ સારવનકર પોલીસ ઇન્સ્પેક્ટર
ગણેશ હરપુડે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર
આનંદ પઠાદે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર
પાંડુરામ કોકમ પોલીસ કોન્સ્ટેબલ
તાનાજી દેસાઇ પોલીસ કોન્સ્ટેબલ
રત્નાકાર કામલે પોલીસ કોન્સ્ટેબલ
વિનાયક શિંદે પોલીસ કોન્સ્ટેબલ
દેવીદાસ સકપાલ પોલીસ કોન્સ્ટેબલ
દિલીપ પલાંડે પોલીસ ઇન્સ્પેક્ટર
પ્રકાશ કદમ પોલીસ કોન્સ્ટેબલ
સંદીર સરદાર પોલીસ કોન્સ્ટેબલ












Click it and Unblock the Notifications
