લખીમપુર ખેરી કાંડ: SITએ દાખલ કરી 5 હજાર પાનાઓની ચાર્જશીટ, આશિષ મિશ્રા સહિત 16 લોકોને બનાવ્યા આરોપી
લખીમપુર ખેરીમાં ખેડૂતોને વાહનથી કચડી નાખવાના મામલામાં SITએ લગભગ પાંચ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના અન્ય નજીકના સહયોગી વીરેન્દ્ર શુક્લાને પણ આ ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આ
લખીમપુર ખેરીમાં ખેડૂતોને વાહનથી કચડી નાખવાના મામલામાં SITએ લગભગ પાંચ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના અન્ય નજીકના સહયોગી વીરેન્દ્ર શુક્લાને પણ આ ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવ્યા છે. હવે મંત્રીના પુત્ર આશિષ મિશ્રા સહિત કુલ 16 આરોપીઓ સામે આવ્યા છે.

લખીમપુર ખેરી હિંસામાં આઠ લોકોના મોત થયા હતા
ગયા વર્ષે 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરીના તિકુનિયા ખાતે કૃષિ કાયદાનો વિરોધ કરીને પરત ફરી રહેલા ખેડૂતોને એક SUV કાર સાથે ટક્કર મારવામાં આવી હતી. આ દરમિયાન ચાર લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ થયેલી હિંસામાં અન્ય ચાર લોકોના પણ મોત થયા હતા. સ્થાનિક પત્રકાર રમણ કશ્યપનું પણ મોત થયું હતું. યુપી પોલીસે બીજા દિવસે આશિષ મિશ્રા અને અન્ય 12 લોકોને હત્યાના આરોપી તરીકે નામ આપીને એફઆઈઆર દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ કેન્દ્રીય મંત્રીના પુત્રની એક સપ્તાહ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
SITએ તપાસ બાદ સુનિયોજિત કાવતરું જણાવ્યું
આ કેસની તપાસ કરી રહેલી SITએ ગયા મહિને સ્થાનિક કોર્ટને કહ્યું હતું કે ખેડૂતો અને પત્રકારની હત્યા એ "આયોજિત કાવતરું" હતું. તે બેદરકારીથી મૃત્યુનો કેસ નહોતો. એવી પણ માંગ કરવામાં આવી હતી કે આશિષ મિશ્રા અને અન્યો સામેના બેફામ ડ્રાઈવિંગના આરોપોમાં ફેરફાર કરવો જોઈએ અને હત્યાના પ્રયાસ અને જાણી જોઈને ઈજા પહોંચાડવાના આરોપો ઉમેરવા જોઈએ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
