આડવાણીએ બીજેપીના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામુ
નવી દિલ્હી, 10 જૂન: હાલમાં મળી રહેલા સમાચાર અનુસાર ભારતીય જનતા પાર્ટીનમા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ બીજેપીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું. આડવાણીએ પોતાનું રાજીનામું લેખિતમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહને સોંપી દીધું છે.
લાલકૃષ્ણ આડવાણીએ પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહને આજે લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે હું પાર્ટીની સાથે બની રહીશ પરંતુ પાર્ટીના દરેક નિર્ણયોથી દૂર રહીશ. કારણ કે હવે પાર્ટીમાં મારી વિચારધારાના લોકો રહ્યા નથી પાર્ટીમાં હવે માત્ર એજન્ડાને લઇને ચાલનારા જ લોકો છે. માટે હું પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું. આની સાથે આડવાણીએ પાર્ટીની કાર્યકારિણીમાંથી, સંસદીય સમિતિ, ચૂંટણી સમિતિમાંથી રાજીનામુ આપી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગોવા ખાતેની રાષ્ટ્રિય કાર્યકારિણીનીની બેઠકમાં તેમની ગેરહાજરીમાં જ નરેન્દ્ર મોદીનું રાજતિલક કરીને તેમને રાષ્ટ્રિય પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, તેને લઇને નારાજગી હોવાના કારણે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે રાજનાથ સિંહે જણાવ્યું કે તેઓ તેમને મનાવી લેશે અને તમનું રાજીનામાનો સ્વીકાર કરશે નહીં.
જોકે આ સમાચારના પગલે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ આડવાણીના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે અને તેમને મનાવી લેવા માટેનો દૌર ચાલું થઇ ગયો છે. આ ઘટના અંગે બીજેપી તેમજ કોંગ્રેસમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આડવાણીએ બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપી ન્હોતી. અને મીડિયા અહેવાલનું માનીએ તો આડવાણીમાં મોદીની ભૂમિકાને લઇને નારાજગી હતી, જેના કારણે તેમણે બેઠકમાં હાજરી આપી નહી. જોકે પાર્ટીના નેતાઓએ આ બાબતોને રદિયો આપી દીધો હતો. જોકે આજે આડવાણીનું બીજેપીના પદો પરથી રાજીનામુ આપી દેવું એ બાબતની સાબિતિ આપે છે કે તેમની ગેરહાજરીમાં મોદીને લઇને તેમના મનમાં ક્યાંકને ક્યાંક નારાજગી હતી, જે આજે ખુલીને સામે આવી છે.
-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
