લાલુ લખશે આત્મકથા, કરશે મોટા ખુલાસા

પટણા, 16 જાન્યુઆરીઃ રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે પોતાના વિરોધીઓને ઉઘાડા કરવા માટે એક પુસ્તક લખવાની યોજના બનાવી છે.

lalu-prasad-yadav
લાલુએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું છે, ‘મે એ લોકોના ખુલાસા કરવા પુસ્તક લખવાનું નક્કી કર્યુ છે, જેમણે મને કાવતરાં હેઠળ ઘાસચારા કૌભાંડમાં ફસાવ્યો અને મને જેલમાં મોકલ્યો.' તેમેણે કહ્યું કે, મારા પુસ્તકમાં ભારતીય રાજકારણના કેટલાક રસપ્રદ પહેલું પણ જોવા મળશે, જેમાં ઇમરજન્સી સામે સમાજવાદી નેતા જય પ્રકાશ નારાયણના નેતૃત્વમાં થયેલા વિદ્યાર્થી આંદોલનનો ઉલ્લેખ પણ હશે, જેમાં મે ભાગ લીધો હતો.' લાલુ પ્રસાદે કહ્યું કે, તેમને કેટલાક શક્તિશાળી લોકોએ દુષ્પ્રચાર કરીને રાજકીય પીડિત બનાવ્યા છે.

લાલુએ કહ્યું કે, મારું પુસ્તક સંપૂર્ણપણે સાચી કહાણી અને બિહાર અને દેશના ચાર દશકાના રાજકારણ પર આધારિત હશે. આ રાજકારણમાં મોટા ચહેરાના ખુલાસા કરશે કે કેવી રીતે રાજકારણ ટોચ પર પહોંચ્યુ. તેમણે સામાન્ય ચૂંટણી બાદ પુસ્તક લખવાના સંકેત આપ્યા છે. તે કોંગ્રેસ અને લોક જનશક્તિ પાર્ટી સાથે મજબૂધ ધર્મનિર્પેક્ષ ગઠબંધન બનાવવાના પક્ષમાં છે. લાલુ પ્રસાદ પર ઘાસચારા કૌભાંડમાં સંડોવણી હોવાના આરોપ લાગ્યા બાદ તેમને 1997માં બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું હતુ અને તેમના સ્થાને તેમના પત્ની રાબડી દેવી બિહારના મુખ્યમંત્રી બન્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X