લશ્કરે આપી દુર્ગાયાના મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી
અમૃતસર, 7 ઓક્ટોબર: હરિદ્વારના મંદિરો તથા રેલવે સ્ટેશનને લશ્કર-એ-તોઇબાની બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ, હવે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ તરફથી અમૃતસરના દુર્ગયાના મંદિરને ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યા પત્રથી સી એફના લેટરપેડ લખવામાં આવ્યું હતું કે ડીસીપી કૌસતુભ શર્માએ ગંભીરતાઅથી લેતાં મંદીરની સુરક્ષાની સમીક્ષા કરી હતી.
પંજાબ કેસરીના સમાચાર અનુસાર લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં કેસીએફના લેટરપેડ પર આવેલી ધમકીભર્યા પત્રને આજે પોલીસે ગંભીરતાપૂર્વક લીધો છે. મંદિરના કોમ્પલેક્ષના અલગ-અલગ સ્થળો પર સ્પેશિયલ ફોર્સ ગોઠવવામાં આવી છે અને ઠેર-ઠેર લોકોના સામાનની તપાસ કરવામાં આવી રહી છે.
નિર્દોષ લોકોની યાદમાં એક યાદગાર બનાવવાના એલાન ઉપરાંત આતંકવાદી સંગઠને મંદિરને ઉડાવવાની ધમકી આપી હતી.ડીસીપી કૌસતુભ શર્માએ જણાવ્યું હતું કે મંદિર કોમ્પલેક્ષમાં સ્પેશિયલ ફોર્સ ગોઠવવાની સાથે સાથે સિવિલ વરદીમાં પણ ટીમ ગોઠવવામાં આવી છે.