વકિલોના ડ્રેસકોડ પર ફરીથી વિચાર થવો જોઈએ-CJI ચંદ્રચુડ
ભારતના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડે મોટી વાત કરી છે. ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, વકિલોના ડ્રેસકોડ મુદ્દે ફરીથી વિચાર થવો જોઈએ. તેમણે કહ્યું કે, ભારતમાં ઉનાળામાં વકીલોના કડક ડ્રેસ કોડ પર ફરીથી વિચાર થવો જોઈએ.
ભારતના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડે મોટી વાત કરી છે. ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, વકિલોના ડ્રેસકોડ મુદ્દે ફરીથી વિચાર થવો જોઈએ. તેમણે કહ્યું કે, ભારતમાં ઉનાળામાં વકીલોના કડક ડ્રેસ કોડ પર ફરીથી વિચાર થવો જોઈએ. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની તમામ 13 બેન્ચ દરરોજ ઓછામાં ઓછી 10 જામીન અરજીઓ પર સુનાવણી કરશે. આના પહેલા પહેલા 10 ટ્રાન્સફર પિટિશન પર પણ સુનાવણી કરવામાં આવશે.

26 નવેમ્બરે દેશમાં સંવિધાન દિવસની ઉજણવી કરાય છે ત્યારે સંવિધાન દિવસની પુર્વ સંધ્યાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસે આ મોટી વાત કરી હતી. ડીવાય ચંદ્રચુડે આગળ કહ્યું કે, કાનૂની વ્યવસાયે તેના ઉપનિવેશિક આધારને દુર કરવો જોઈએ. આબોહવા પરિવર્તનને કારણે ઉનાળામાં ભારતમાં ભારે ગરમીનો સામનો કરવો પડે છે. આપણે વકીલો માટેના કડક ડ્રેસ કોડ પર પુનઃવિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે ડ્રેસને લઈને મહિલા વકીલો પર કોઈ નૈતિક દેખરેખ ન હોવી જોઈએ.
ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં લગભગ 3000 ટ્રાન્સફર પિટિશન પેન્ડિંગ છે. હાલ સુપ્રીમ કોર્ટમાં 13 બેન્ચ ચાલી રહી છે. આ સ્થિતિમાં શિયાળાની રજા પહેલા રોજની 130 ટ્રાન્સફર પિટિશનનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. CJI ચંદ્રચુડે કહ્યું કે સુપ્રીમ કોર્ટ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે જામીનની બાબતો સૂચિબદ્ધ થાય અને તેનો ઝડપી નિકાલ થાય.
તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં ન્યાયતંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના પર બંધારણની કામગીરીનો આધાર છે. જ્યારે આપણે બંધારણની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે બંધારણ અપનાવતા પહેલાના ઇતિહાસ વિશે જાણવું જોઈએ. તેમણે કોલેજિયમની ટીકાઓનો પણ જવાબ આપ્યો. CJI DY ચંદ્રચુડે કહ્યું કે લોકશાહીમાં કોઈપણ સંસ્થા પરફેક્ટ હોતી નથી પરંતુ અમે બંધારણના વર્તમાન માળખામાં કામ કરીએ છીએ.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
