CDS બિપિન રાવત શહિદ, રાષ્ટ્રપતિ, PM મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી!
દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત તમિલનાડુના કુન્નુરમાં સેનાના હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયા હતા. આ અકસ્માતમાં બિપિન રાવત ઉપરાંત તેમની પત્ની મધુલિકા રાવતનું પણ મોત થયું છે.
નવી દિલ્હી, 8 ડિસેમ્બર : દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત તમિલનાડુના કુન્નુરમાં સેનાના હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયા હતા. આ અકસ્માતમાં બિપિન રાવત ઉપરાંત તેમની પત્ની મધુલિકા રાવતનું પણ મોત થયું છે. ભારતીય વાયુસેનાએ તેના ટ્વિટર હેન્ડલ પર હેલિકોપ્ટરમાં સવાર બિપિન રાવત અને અન્ય લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. CDS જનરલ બિપિન રાવતના સમાચાર સાંભળીને આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય નેતાઓએ આ અકસ્માતમાં શહીદ બિપિન રાવત અને અન્યોના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ આપી છે.
I am deeply anguished by the helicopter crash in Tamil Nadu in which we have lost Gen Bipin Rawat, his wife and other personnel of the Armed Forces. They served India with utmost diligence. My thoughts are with the bereaved families.
— Narendra Modi (@narendramodi) December 8, 2021
પીએમ મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યુ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ પર દુઃખ વ્યક્ત કર્યું, જેમાં પીએમ મોદીએ પહેલા લખ્યું કે, હું તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું, જેમાં અમે જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય કર્મચારીઓને ગુમાવ્યા છે. તેમણે ખંતપૂર્વક ભારતની સેવા કરી. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
I am shocked and anguished over the untimely demise of Gen. Bipin Rawat and his wife, Madhulika ji. The nation has lost one of its bravest sons. His four decades of selfless service to the motherland was marked by exceptional gallantry and heroism. My condolences to his family.
— President of India (@rashtrapatibhvn) December 8, 2021
રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યુ
શોક વ્યક્ત કરતા દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ટ્વિટમાં લખ્યું કે, જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકાજીના અકાળ અવસાનથી આઘાત અને દુઃખી છું. દેશે તેનો એક બહાદુર પુત્ર ગુમાવ્યો છે. માતૃભૂમિ માટે તેમની ચાર દાયકાની નિઃસ્વાર્થ સેવા અસાધારણ બહાદુરી અને વીરતા દ્વારા ચિહ્નિત થયેલ છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.
A very sad day for the nation as we have lost our CDS, General Bipin Rawat Ji in a very tragic accident. He was one of the bravest soldiers, who has served the motherland with utmost devotion. His exemplary contributions & commitment cannot be put into words. I am deeply pained.
— Amit Shah (@AmitShah) December 8, 2021
અમિત શાહે શોક વ્યક્ત કર્યો
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે, દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે, કારણ કે આપણે અમારા CDS જનરલ બિપિન રાવતજીને ખૂબ જ દુઃખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. તેઓ એવા બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી છે. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું ખૂબ જ દુઃખી છું. હું શ્રીમતી મધુલિકા રાવત અને અન્ય 11 સશસ્ત્ર દળોના જવાનોના દુઃખદ અવસાન પર પણ શોક વ્યક્ત કરું છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ભગવાન તેમને આ દુઃખદ નુકસાન સહન કરવાની શક્તિ આપે.
Deeply anguished by the sudden demise of Chief of Defence Staff Gen Bipin Rawat, his wife and 11 other Armed Forces personnel in an extremely unfortunate helicopter accident today in Tamil Nadu.
— Rajnath Singh (@rajnathsingh) December 8, 2021
His untimely death is an irreparable loss to our Armed Forces and the country.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે શ્રદ્ધાંજલિ આપી
બીજી તરફ રક્ષા મંત્રીએ ટ્વિટ કરીને લખ્યું કે, આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના, જેઓ હાલમાં વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Grieved to know about the untimely demise of Chief of Defence Staff, Gen Bipin Rawat ji in an unfortunate helicopter crash today. He served the country with great honour & dedication. My heartfelt condolences. RIP 🙏 pic.twitter.com/NeUUzGH8fn
— Capt.Amarinder Singh (@capt_amarinder) December 8, 2021
અમરિંદર સિંહે શોક વ્યક્ત કર્યો
સીડીએસ જનરલ બિપિન રાવતના આકસ્મિક મૃત્યુ પર શોક વ્યક્ત કરતા પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે લખ્યું કે, આજે દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતજીના અકાળે અવસાન વિશે જાણીને દુઃખ થયું. તેમણે ખૂબ જ સન્માન અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરી. મારી હૃદયપૂર્વકની સંવેદના.
I extend my condolences to the family of Gen Bipin Rawat and his wife.
— Rahul Gandhi (@RahulGandhi) December 8, 2021
This is an unprecedented tragedy and our thoughts are with their family in this difficult time.
Heartfelt condolences also to all others who lost their lives.
India stands united in this grief.
રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જનરલ બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, હું જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ એક અભૂતપૂર્વ દુર્ઘટના છે અને આ મુશ્કેલ સમયે અમારી સંવેદના તેમના પરિવાર સાથે છે. અન્ય તમામ જેમણે પણ જીવ ગુમાવ્યો છે તેમના પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. ભારત દુ:ખની આ ઘડીમાં સાથે છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
