For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશમાં ચિઠ્ઠીનું રાજકારણઃ રાજ્યપાલે સ્પીકરના પત્રનો જવાબ આપ્યો

મધ્ય પ્રદેશમાં ચિઠ્ઠીનું રાજકારણઃ રાજ્યપાલે સ્પીકરના પત્રનો જવાબ આપ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશનું રાજકીય સંકટ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું. એક પછી એક ચિઠ્ઠી લખાઈ રહી છે. પહેલા રાજ્યપાલ, પછી કમલનાથ, પછી વિધાનસભા સ્પીકરે ચિઠ્ઠી લખી તો હવે રાજ્યપાલે સ્પીકરની ચિઠ્ઠીનો જવાબ આપ્યો. પહેલા રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથને પત્ર લખી બહુમત સાબિત કરવા નિર્દેશ આપ્યો. આ પત્રના જવાબમાં કમલનાથે પહેલા બંદી બનાવેલ 16 કોંગ્રેસી ધારાસભ્યોની વાપસી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. હવે રાજ્યપાલ લાલજી ટંડને તેમના પત્રનો જવાબ આપ્યો છે.

lalji tandan

રાજ્યપાલ લાલજી ટંડને સ્પીકર નર્મદ પ્રજાપતિ દ્વારા લાપતા ધારાસભ્યોને લખાયેલ ચિઠ્ઠીના સંબંધમાં લખાયેલ પત્રનો જવાબ આપ્યો છે. તેમણે પોતાના પત્રમાં વિધાનસભા સ્પીકરને સવાલ પૂછ્યા. લાપતા ધારાસભ્યોના સંબંધમાં તેમણે લખ્યું કે તેમના પત્ર સતત તેમને અને સ્પીકરને મળી રહ્યા છે, પરંતુ તથાકથિત લાપતા ધારાસભ્યોએ કોઈપણ પત્રમાં પોતાની સુરક્ષા કે કોઈપણ પ્રકારની સમસ્યાને લઈ કોઈ સવાલ ઉઠાવ્યા નથી. જ્યારે તેમણે કહ્યું કે તેમનો વીડિયો અને તસવીરો મીડિયામાં આવી રહી છે અને હવે આ મામલો પણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.

જણાવી દઈએ કે અગાઉ વિધાનસભા અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિએ રાજ્યપાલને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે 16 ધારાસભ્યોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે આકરાં પગલાં ઉઠાવવાની ભલામણ કરી હતી. અગાઉ રાજ્યપાલ લાલજી ટંડન અને મુખ્યમંત્રી કમલનાથ વચ્ચે ચિઠ્ઠીની અદલા બદલી ચાલી. રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ કરાવવાને લઈ કમલનાથને પત્ર લખ્યો જ્યારે મુખ્યમંત્રી બધા જ જવાબમાં આનાકાની કરતા જોવા મળ્યા.

મધ્ય પ્રદેશઃ કોંગ્રેસના બાગી ધારાસભ્ય બોલ્યા- કમલનાથ અમારી નથી સાંભળતા, અમે સિંધિયા સાથેમધ્ય પ્રદેશઃ કોંગ્રેસના બાગી ધારાસભ્ય બોલ્યા- કમલનાથ અમારી નથી સાંભળતા, અમે સિંધિયા સાથે

English summary
letter politics started in madhya pradesh, governor replies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X