જીવનરક્ષક દવાઓની કિંમતો ઘટી શકે

સરકારની ફાર્માસ્યુટિકલ વિભાગની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર સરકારે દવા કિંમત નિયંત્રણ આદેશ (ડીપીસીઓ) 2013નો નિયમનપત્ર બહાર પાડી દીધો છે. આ આદેશ 1995ના આદેશનું સ્થાન લેશે. તેનો અમલ 15 મેથી અમલી બનશે. નવા આદેશથી રાષ્ટ્રીય દવા કિંમત નિર્ધારણ નીતિ (એનપીપીપી-2012)ને 348 જરૂરી દવાઓની કિંમતોના નિયમનનો અધિકાર મળશે.
દવા કિંમત નિયંત્રણ આદેશ 1995 અંતર્ગત માત્ર 74 થોક દવાઓની કિંમતોનું નિયમન થતું હતું. એનપીપીપીને કેબિનેટે નવેમ્બર 2012માં મંજૂરી આપી દીધી હતી. તેનાથી 7 ડિસેમ્બર 2012ના રોજ નિયમનપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આદેશ અનુસાર એનપીપીએ નવી નીતિ તથા નવા ડીપીસીઓ માટે નવી અમલીકરણ એજન્સી બનશે.












Click it and Unblock the Notifications
