કાશીરામ, અડવાણી અને પ્રણવ મુખર્જીને મળી શકે છે ભારત રત્ન
સૂત્રો મુજબ સરકાર પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સમ્માનિત કરી શકે છે. જ્યારે કદાવર દલિત નેતા કાશીરામ સાથે સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સમ્માનિત કરી શકે છે.
ભારતીય નાગરિકને અપાતા સર્વોચ્ચ નાગરિક સમ્માન 'ભારત રત્ન' ની ઘોષણા આ વર્ષે થશે તો કેટલાક રસપ્રદ નામો સામે આવી શકે છે. ઈતિહાસમાં પહેલી વાર એવુ બનશે જ્યારે ભારત રત્ન માટે 4 નામોની ઘોષણા કરવામાં આવશે. આ પહેલા વર્ષ 1954 માં ત્રણ વ્યક્તિઓને ભારત રત્નના સમ્માનથી નવાજવામાં આવ્યા હતા.

આ વર્ષે 4 લોકોને આપવામાં આવી શકે છે ભારત રત્ન
સૂત્રો મુજબ સરકાર પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સમ્માનિત કરી શકે છે. જ્યારે કદાવર દલિત નેતા કાશીરામ સાથે સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ સરકાર ભારત રત્નથી સમ્માનિત કરી શકે છે. આ ઉપરાંત એક નામ દક્ષિણ ભારતથી પણ છે.

રાજકીય લાભ પણ લેવા ઈચ્છશે ભાજપ
કાશીરામને ભારત રત્ન આપવાની માંગ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. કાશીરામને ભારત રત્ન તેમણે દલિત સમાજના ઉત્થાન માટે કરેલા પ્રયાસોને જોતા આપવામાં આવી શકે છે. ઘણા દલિત સંગઠન આ માંગ સતત કરતા આવ્યા છે. જ્યારે પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને દેશની રાજનીતિમાં તેમના યોગદાન માટે સમ્માન આપવામાં આવી શકે છે. વળી, કાશીરામને ભારત રત્નથી સમ્માનિત કરાયા બાદ ભાજપ આનો રાજકીય લાભ લેવા પણ ઈચ્છશે કારણકે હાલમાં ઘણી એવી ઘટનાઓ બાદ ભાજપ પર દલિતો વિરોધી હોવાનો આરોપ પણ લાગ્યો છે. જેના કારણે પક્ષની ઘણી ટીકા પણ થઈ છે. આ પ્રકારે પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સમ્માનિત કરાયા બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપને આનો ફાયદો મળી શકે છે.

ભારતનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે ભારત રત્ન
ભારત રત્ન કોઈ પણ ભારતીય નાગરિકને તેના ઉલ્લેખનીય યોગદાન માટે આપવામાં આવે છે. શરૂઆતમાં આ સમ્માન કલા, સાહિત્ય, વિજ્ઞાન અને પબ્લિક સેવા ક્ષેત્ર સાથે જોડાયેલી હસ્તીઓને જ આપવામાં આવતુ હતુ. પરંતુ ત્યારબાદ સરકારે 2011 માં આમાં માનવીય પ્રયાસોને પણ શામેલ કર્યા. ભારત રત્ન માટે નામોની ભલામણ દેશના પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ 3 નામ ભારત રત્ન માટે મોકલવામાં આવે છે પરંતુ આ વખતે પહેલી વાર 4 નામોની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
