મોદીનો વિરોધ કરવાનો દંડ ચૂકવી રહ્યા છે અડવાણી
નવી દિલ્હી, 28 મે : દેશમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએની આગેવાનીમાં સરકાર બની છે. વિરોધીઓના દબાણ છતાં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની ગયા છે. તેમણે 45 મંત્રીઓ સાથેના મંત્રીમંડળની જાહેરાત કરી દીધી છે. મહત્વની બાબત એ છે કે મંત્રાલયોની ફાળવણીમાં નરેન્દ્ર મોદીએ સૌને ખુશ કર્યા છે. જો કે તેમા એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશીને સ્થાન આપવામાં આવ્યું નથી. કેબિનેટમાંથી ભાજપના આ બંને વરિષ્ઠ નેતાઓની બાદબાકી કરવામાં આવી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અડવાણી અને જોશીને નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાની સજા મળી રહી છે. ચૂંટણી પહેલા જ અડવાણી અન મુરલી મનોહર જોશીએ એક યા બીજી રીતે નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો હતો કે તેમના માર્ગમાં અવરોધ ઉભા કર્યા હતા. આથી જ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ તેમના મંત્રીમંડળમાં અડવાણી કે જોશીને સ્થાન આપ્યું નથી.

અડવાણી અને જોશી આ બાબત સમજી ગયા છે અને જેના કારણે હાલ સંજોગોને વશ થઇને ચૂપચાપ બેસી ગયા છે. નોંધનીય બાબત એ છે કે એવું પ્રથમવાર બની રહ્યું છે કે અડવાણી અને જોશીને એનડીએ સરકારમાં કોઇ કામ મળ્યું નથી.
સરકારમાં સ્થાન નહીં મળવાને બદલે અડવાણી અને જોશીએ સ્વીકાર્યું છે કે તેમનું રાજકીય જીવન ખતમ થઇ ચૂક્યું છે. સંઘે પાર્ટી અને સરકાર બંનેમાં નેતાની ઉંમર 75 વર્ષ નક્કી કરી છે. પાર્ટીના નેતાઓનો દાવો છે કે અડવાણી અને જોશીની સાથે કોઇ વાયદો કરવામાં આવ્યો નથી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે ના તો મંત્રી પદ અને ના તો સ્પીકરનું પદ અને ના તો એનડીએના ચેરપર્સન બનાવવાનું આશ્વાસન તેમને આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તેમને કોઇ પદ આપવાને બદલે પાર્ટી તેમના અનુભવનો લાભ ઉઠાવશે. અડવાણી અને જોશી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં હાજર હતા. આ સમારોહમાં અડવાણીને પ્રથમ પંક્તિમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
