Lok Sabha Election 2024 : નીતિશ કુમાર અને ભાજપ વચ્ચે બધુ ઠીક નથી? તેજસ્વી યાદવે આપ્યા મોટા સંકેત
બિહારમાં તેજસ્વી યાદવ નીતિશ કુમાર અને બીજેપી પર ભારે પડી રહ્યા છે. હવે તેજસ્વી યાદવે નીતિશ કુમારને લઈને મોટો દાવો કર્યો છે.
રાષ્ટ્રીય જનતા દળ નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી બિહારમાં કંઈક મોટું થશે.

તેજસ્વી યાદવે કહ્યું કે, એવું લાગે છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારનું તેમના સહયોગી ભારતીય જનતા પાર્ટી સાથે સંકલન સારું નથી ચાલી રહ્યું.
તેજસ્વી યાદવે પટનામાં પત્રકારો સાથે વાત કરતા આ દાવો કર્યો. આ વર્ષે જાન્યુઆરીમાં નીતીશ કુમાર અચાનક એનડીએમાં પાછા ફર્યા હતા. તેજસ્વી યાદવે કહ્યું છે કે ચૂંટણી પરિણામો બાદ નીતિશ કુમાર કેટલાક મોટા નિર્ણય લેશે.
થોડા દિવસો પહેલા કરેલા પોતાના દાવાનો ઉલ્લેખ કરતા તેજસ્વી યાદવે કહ્યું કે, જ્યારથી મેં આગાહી કરી છે કે કાકા લોકસભા ચૂંટણી પછી કોઈ મોટો નિર્ણય લેશે, ત્યારથી તે પ્રચાર કરવા જઈ રહ્યા નથી.
તેજસ્વી યાદવે કહ્યું કે, મને એ પણ જાણવા મળ્યું છે કે રાજ્યપાલ જ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે અને સૂચનાઓ આપી રહ્યા છે. ચૂંટણીના મોરચે ભાજપ અને જેડીયુ પોતપોતાની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પરંતુ તેમની વચ્ચે કોઈ સંકલન નથી. આ બધી બાબતો મારી શંકાને સમર્થન આપે છે કે બિહારમાં 4 જૂન પછી કંઈક મોટું થવાનું છે.
તેજસ્વી યાદવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં જંગી જીત તરફ આગળ વધી રહી છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે, ઈન્ડિયા બ્લોક શાનદાર જીત તરફ આગળ વધી રહ્યો છે. ગઠબંધન 300થી વધુ સીટો જીતી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબી, મોંઘવારી અને બેરોજગારી એમના ત્રણ પ્રિય મુદ્દાઓ પર પરાજિત થશે.












Click it and Unblock the Notifications
