Lok Sabha Election 2024: 14 સીટો પર નવા ચહેરા લાવી શકે છે ભાજપ, આમની બદલવાની સંભાવના

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) એ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભા ચૂંટણી 2024 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી રણનીતિના ભાગ રૂપે, ભાજપ કર્ણાટકમાંથી તેના મોટાભાગના સાંસદોને બદલવાનો પ્રયાસ કરી રહી છે.

વરિષ્ઠ અધિકારીઓની વાત માનીએ તો પાર્ટી નેતૃત્વએ ઉમેદવારોને લઈને સંશોધન શરૂ કરી દીધુ છે. કેટલાક સંભવિતોને પોતપોતાના મતવિસ્તારમાં ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

bjp

જો 2019ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપે રાજ્યની 28 લોકસભા સીટોમાંથી 25 સીટો પર કબજો કર્યો હતો. તે આગામી ચૂંટણીમાં પણ આ જ ગણિતનું પુનરાવર્તન કરવા માંગે છે. વિરોધી લહેરને હરાવવા માટે ભાજપ જે વ્યૂહરચના શોધી રહ્યું છે તેમાંથી એક 'નવા ચહેરા'ના બળ પર કિલ્લો જીતવાનો છે.

પાર્ટીના અધિકારીઓએ કહ્યું કે ઓછામાં ઓછી 14 સીટો પર વર્તમાન સાંસદોને બદલવાની સંભાવના છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવે કહ્યું કે પરિવર્તન આવવું જ જોઈએ કારણ કે પાર્ટીની પ્રાથમિકતા સિસ્ટમમાં અનુભવ અને યુવાનોના યોગ્ય સંયોજનને સુનિશ્ચિત કરવાની છે. વર્તમાન સાંસદોને વિશ્વાસમાં લેવામાં આવશે.

આ ચહેરાઓ બદલાય તેવી શક્યતા

વી શ્રીનિવાસ પ્રસાદ (ચમરાજનગર),

જીએસ બસવરાજ (તુમકુરુ),

રમેશ જિગ્જિનીગી (વિજયપુરા),

શિવકુમાર ઉદાસી (હાવેરી),

જીએમ સિદ્ધેશ્વર (દાવણગેરે)

સંગન્ના કરાડી (કોપ્પલ)

બીએન બચે ગૌડા (ચિક્કબલ્લાપુરા),

અનંતકુમાર હેગડે (ઉત્તર કન્નડ),

મંગલા આંગડી (બેલાગવી)

પીસી ગદ્દીગૌદર (બાગલકોટ)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X