Lok Sabha Election 2024 : માત્ર આટલી સીટો પર સમેટાઈ જશે બીજેપી, યોગેન્દ્ર યાદવનો અત્યારસુધીનો સૌથી મોટો દાવો
લોકસભા ચૂંટણીમાં બીજેપી અને સહયોગી પક્ષો ચૂંટણી હારી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. સતત નબળુ મતદાન અને મોદી સરકારની લોકશાહી વિરોધી નીતિઓથી લોકો નારાજ છે ત્યારે યોગેન્દ્ર યાદવે મોટો દાવો કર્યો છે.
લોકસભા ચૂંટણીમાં ચાર તબક્કાના મતદાન બાદ બીજેપીમાં અજંપાનો માહોલ છે. આ માહોલ વચ્ચે રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવનો દાવો બીજેપીની ઉંઘ ઉડાડી શકે છે.

ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા યોગેન્દ્ર યાદવે મોટો દાવો કર્યો અને તેમણે કહ્યું કે, ચાર તબક્કાના મતદાનમાં જ સ્પષ્ટ છે કે ભાજપ 272ના આંકડાથી નીચે આવી ગયો છે.
જણાવી દઈએ કે, ચાર તબક્કાના મતદાન બાદ ભાજપ 400ને પાર કરવાનો નારા લગાવી રહી છે, જ્યારે કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ મોદી સરકારની વિદાય નિશ્ચિત હોવાનું કહી રહી છે. આવી સ્થિતિમાં યોગેન્દ્ર યાદવનો દાવો વિપક્ષોને ખુશ કરી શકે છે અને ભાજપની ચિંતા વધારી શકે છે.
શું કહ્યું યોગેન્દ્ર યાદવે?
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, બીજેપી વિચારી રહી છે કે તેને 2019 કરતા પણ મોટી જીત મળશે, પરંતુ એવું થવાનું નથી. મેં જમીન પર પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે. જ્યારે પરિણામ આવશે ત્યારે ભાજપ 250થી ઓછી બેઠકો જીતશે.
તેમણે કહ્યું કે, જો સમગ્ર એનડીએ ભેગુ થાય તો 268 સીટો પર પહોંચશે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે હું સ્પષ્ટ કહું છું કે એનડીએ સત્તામાં નહીં આવે. તેમણે કહ્યું કે મને લાગે છે કે તે બહુમતી પણ સાબિત કરી શકશે નહીં.
આ પહેલા 12 મેના રોજ યોગેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં બિહાર અને યુપીને લઈને દાવો કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશની જેમ બિહારમાં પણ ચૂંટણી ભૂકંપના સંકેતો છે. રાજ્યની 7 બેઠકોની મુલાકાત લીધા પછી અમે NDAના 1/3 મતો ઘટતા જોયા. પરંતુ જો તેનાથી ઘણું ઓછું એટલે કે એનડીએનો 1/5મો મત વિરોધમાં જાય તો પણ પાસા ફરી શકે છે. અહીં બંને પક્ષો સમાન રહેશે, 22 NDA અને 18 મહાગઠબંધન.
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2024 માટે ચાર તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને હવે પાંચમા તબક્કા માટે 20 મેના રોજ મતદાન થવાનું છે. પરિણામ 4 જૂને આવશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
