Lok Sabha Election 2024 : ભગવાન રામને પસંદ ન આવી નરેન્દ્ર મોદીની શો બાજી, રામના ઘર અયોધ્યામાં બીજેપીની હાર
રામ મંદિરને લઈને નરેન્દ્ર મોદી એન્ડ ટોળકી દ્વારા આચરવામાં આવેલો પાખંડ ભગવાન રામને પસંદ નથી આવ્યો. અહીં અયોધ્યામાં બીજેપીની ખરાબ રીતે હાલ થઈ છે.
લોકસભા ચૂંટણીમાં બીજેપીને સૌથી વધારે ઉમ્મીદ જે રાજ્યોમાં હતી તે ઉત્તર પ્રદેશની જનતાએ બીજેપીને જાકારો આપી દીધો છે. આટલુ જ નહીં રામ મંદિર બનાવ્યા બાદ અયોધ્યાની સીટ બીજેપી હારી ગઈ છે.

ચૂંટણી પંચ અનુસાર, ફૈઝાબાદ સીટ પરથી બીજેપી હારી ગઈ છે. અયોધ્યા એટલે કે ફૈજાબાદ સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદે બીજેપી ઉમેદવાર લલ્લુ સિંહને 48104 મતોથી હરાવી દીધા છે.
અયોધ્યા રામ મંદિર નિર્માણનો મુદ્દો ભાજપના ચૂંટણી પ્રચારનો મહત્વનો ભાગ હતો. તેમ છત્તા પણ બીજેપીએ અહીં ઘણી સીટો ગુમાવવી પડી છે. આનું પરિણામ એ આવ્યુ કે બીજેપીને સત્તાંથી પણ બહાર રહેવું પડી શકે છે.












Click it and Unblock the Notifications
