કોંગ્રેસ જ્યારે-જ્યારે સત્તામાં આવી, મુસલમાનોને 4% અનામત આપ્યુ છેઃ CM રેડ્ડીએ ઓવેસીને કહ્યુ
A. Revanth Reddy News: તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને AIMIM ચીફ, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ઇફ્તાર પાર્ટી દરમિયાન સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા. લાલ બહાદુર સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું કે કોંગ્રેસ મુસ્લિમોને 4 ટકા અનામતનુ રક્ષણ કરશે.
સીએમ રેવંત રેડ્ડી અને અસદુદ્દીન ઓવૈસીએ પણ એકબીજાને ગળે લગાવ્યા. આ દરમિયાન સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું, "મોદી (PM નરેન્દ્ર મોદી) અને શાહ (ગૃહમંત્રી અમિત શાહ)માં તેલંગાણામાંથી લઘુમતીઓને આપવામાં આવેલ 4 ટકા અનામત હટાવવાની હિંમત નથી."

સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું છે કે ધર્મનિરપેક્ષ સરકાર ચલાવવાની જવાબદારી અમારી સરકારની છે. આપણે બધાને સાથે લઈ જવાનું છે. જ્યારે પણ કોંગ્રેસ સત્તામાં આવી છે ત્યારે અમે લઘુમતીઓને 4 ટકા અનામત આપી છે. લોકોને લોન આપવામાં આવી છે. કોંગ્રેસ લઘુમતી કલ્યાણ માટે સારા કાર્યક્રમો લઈને આવી રહી છે.
રેવંત રેડ્ડીએ કહ્યું, 'કોંગ્રેસ સરકારે સુપ્રીમ કોર્ટમાં અનામત માટે લડવા માટે દેશના શ્રેષ્ઠ વકીલની નિમણૂક કરી હતી. મુસ્લિમોના હિતની રક્ષા માટે કોંગ્રેસ હંમેશા આગળ રહી છે. આ અમારી જવાબદારી પણ બની છે. હિંદુ હોય કે મુસલમાન, બંને મારી બે આંખો જેવા છે.
તેમણે વધુમાં કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી ધર્મનિરપેક્ષતામાં માને છે. અમારી સરકારે મોહમ્મદ શબ્બીર અલીને સરકારના સલાહકાર બનાવ્યા છે. એટલું જ નહીં, અમે તેલંગાણા પબ્લિક સર્વિસ કમિશનમાં લઘુમતીઓનું પ્રતિનિધિત્વ પણ સુનિશ્ચિત કર્યું છે.
સીએમ રેવન્ત રેડ્ડીને જવાબ આપતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "સીએમ સાહેબ, તેલંગાણામાં આપણે નફરત ફેલાવનારાઓ સામે સાથે મળીને લડવું પડશે. મકાનો તોડી પાડનારાઓ સામે આપણે સૌએ સાથે મળીને લડવું પડશે.''
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్టార్ విందులో ముఖ్యమంత్రి @revanth_anumula పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. విందులో… pic.twitter.com/9q20ICYxid
— Telangana CMO (@TelanganaCMO) March 15, 2024
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
