Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election Result 2024 : ચંદ્રબાબુ નાયડુને લઈને યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી સાચી પડશે?

Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ પણ કોંગ્રેસ ઉત્સવ મનાવી રહી છે અને બીજેપી સૌથી વધુ સીટો જીત્યા બાદ પણ બોલવાની સ્થિતીમાં નથી. આ સ્થિતી વચ્ચે તમામની નજર ચંદ્રબાબુ નાયડુ પર છે.

આ લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે એનડીએની બેઠકો વિશે આગાહી કરી હતી કે બીજેપીને સરકાર બનાવવામાં તેમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

modi - naidu

લોકસભા ચૂંટણી 2024માં બીજેપીની આગેવાની હેઠળના NDAને 293 સીટો, ઈન્ડિયા એલાયન્સને 234 સીટો અને અન્યને 16 સીટો મળી છે. ચૂંટણી પરિણામો પહેલા એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે જો આ ચૂંટણીમાં NDAને લગભગ 280 સીટો મળે છે તો સ્પષ્ટ થઈ જશે કે મોદી લહેર ક્યાંય નથી અને આવી સ્થિતિમાં તે નરેન્દ્રની નૈતિક હાર હશે.

યોગેન્દ્ર યાદવે એમ પણ કહ્યું હતું કે જો NDA લગભગ 280 બેઠકો મેળવે છે તો ઘણા સહયોગી ભાજપ છોડી શકે છે. તેમણે કહ્યું હતું કે, આ વખતે એનડીએમાં સૌથી મોટી પાર્ટી ટીડીપી છે અને નરેન્દ્ર મોદીનો આંકડો છત્રીસનો છે તે આખો દેશ જાણે છે.

તેમાં કોઈ શંકા નથી કે ચંદ્રાબાબુ નાયડુ જલદી જ તેમને છોડી દેશે. તમે બધા બિહારના સીએમ નીતિશ કુમારનો ટ્રેક રેકોર્ડ જાણો છો.

યોગેન્દ્ર યાદવે કહ્યું કે, જો બીજેપી પોતાના દમ પર બહુમત નથી મેળવી શકતી તો એનડીએની સાથે ચંદ્રાબાબુ સહિત અનેક નાની પાર્ટીઓ ભાજપ છોડી શકે છે કારણ કે એનડીએમાં ઘણી કાચી ઈંટો છે. તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદેની શિવસેના એકમાત્ર એવી પાર્ટી છે જેના પર ભાજપ વિશ્વાસ કરી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X