Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં 13 મેના રોજ ફેર મતદાન

મુઝફ્ફરનગર, 12 મે : ચૂંટણી પંચના આદેશ અંતર્ગત રમખાણ પ્રભાવિત મુઝફ્ફરનગર જિલ્લાના ત્રણ મતદાન કેન્દ્રો પર 13 મેના રોજ ફેર મતદાન કરાવવામાં આવશે. આ અંગેની વિગતો આપતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્રમણિ ત્રિપાઠીએ જણાવ્યું કે બેહલોલપુર, રસૂલપુર જત્તન અને નૂનાખોડામાં 12 મેના બદલે 13 મેના રોજ પુન: મતદાન કરાવવામાં આવશે.

તેમણે એમ પણ જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા જ મતદાનની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. બસપાના ઉમેદવાર કાદિર રાણા અને કોંગ્રેસના ઉમેદવાર પંકજ અગ્રવાલે ચૂંટણી પંચને ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતા દાખવવામાં આવી હોવા અંગે ફરિયાદ કરી હતી.

election-commission

પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે મતદાન કેન્દ્રો પર બોગસ મતદાન કરવામાં આવ્યું હતું. 10 મેના રોજ આ મતદાન કેન્દ્રો પર 75 ટકાથી વધારે મતદાન નોંધાયુ હોવાના અહેવાલ મળ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે તમામ ત્રણ મતદાન કેન્દ્રો પર ફેર મતદાન પહેલા સુરક્ષા વ્યવસ્થાને વધારે ચુસ્ત બનાવાશે. આ માટે વધારાના સુરક્ષા દળોને પણ તૈનાત કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X