ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં 13 મેના રોજ ફેર મતદાન
મુઝફ્ફરનગર, 12 મે : ચૂંટણી પંચના આદેશ અંતર્ગત રમખાણ પ્રભાવિત મુઝફ્ફરનગર જિલ્લાના ત્રણ મતદાન કેન્દ્રો પર 13 મેના રોજ ફેર મતદાન કરાવવામાં આવશે. આ અંગેની વિગતો આપતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્રમણિ ત્રિપાઠીએ જણાવ્યું કે બેહલોલપુર, રસૂલપુર જત્તન અને નૂનાખોડામાં 12 મેના બદલે 13 મેના રોજ પુન: મતદાન કરાવવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા જ મતદાનની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. બસપાના ઉમેદવાર કાદિર રાણા અને કોંગ્રેસના ઉમેદવાર પંકજ અગ્રવાલે ચૂંટણી પંચને ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતા દાખવવામાં આવી હોવા અંગે ફરિયાદ કરી હતી.

પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે મતદાન કેન્દ્રો પર બોગસ મતદાન કરવામાં આવ્યું હતું. 10 મેના રોજ આ મતદાન કેન્દ્રો પર 75 ટકાથી વધારે મતદાન નોંધાયુ હોવાના અહેવાલ મળ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે તમામ ત્રણ મતદાન કેન્દ્રો પર ફેર મતદાન પહેલા સુરક્ષા વ્યવસ્થાને વધારે ચુસ્ત બનાવાશે. આ માટે વધારાના સુરક્ષા દળોને પણ તૈનાત કરવામાં આવશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
