‘મે ભી ચોકીદાર' ના લાઈવ પ્રસારણ પર દૂરદર્શનને ચૂંટણી કમિશનની નોટિસ
ચૂંટણી કમિશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના ‘મે ભી ચોકીદાર' કાર્યક્રમ લાઈવ પ્રસારણ કરવા પર દૂરદર્શનને નોટિસ આપી જવાબ માંગ્યો છે.
ચૂંટણી કમિશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના 'મે ભી ચોકીદાર' કાર્યક્રમ લાઈવ પ્રસારણ કરવા પર દૂરદર્શનને નોટિસ આપી જવાબ માંગ્યો છે. 31 માર્ચે નરેન્દ્ર મોદીએ 'મે ભી ચોકીદાર' અભિયાન હેઠળ દેશભરમાં ચોકીદારોને સંબોધિત કર્યા હતા. લગભગ દોઢ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમને દૂરદર્શને લાઈવ ચલાવ્યુ હતુ.

સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન થયા બાદ આચાર સંહિતા લાગુ છે. એવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને લાઈવ બતાવવા પર કમિશને દૂરદર્શનને નોટિસ પાઠવી છે. 31 માર્ચે નરેન્દ્ર મોદીએ દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં ચોકીદારો સાથે વાત કરી હતી. દૂરદર્શન અને ઘણા અન્ય માધ્યમો દ્વારા દેશભરમાં આને પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. દેશના લગભગ 500 સ્થળોએ વીડિયો દ્વારા પણ લોકોને મોદીએ સંબોધિત કર્યા હતા.
દેશમાં 17મી લોકસભા માટે 11 એપ્રિલે સાત તબક્કામાં મતદાન થવાનું છે. 23 મેના રોજ પરિણામો ઘોષિત કરવામાં આવશે. એવામાં ચૂંટણી કમિશન તરફથી સતત રાજકીય દળોને નોટિસ મોકલવા અને ઘણા કાર્યક્રમો પર રોક લગાવવાના કેસ સામે આવી રહ્યા છે. ચૂંટણી કમિશને નરેન્દ્ર મોદીના 'નમો ટીવી' પર પણ સૂચના પ્રસારણ મંત્રાલયને નોટિસ આપી જવાબ માંગ્યો છે કે લોકસભા ચૂંટણી પહેલા કેમ ચેનલ લૉન્ચ કરવામાં આવી.
કોંગ્રેસ અને બીજા દળોને પણ ઘણા કેસમાં કમિશને નોટિસ મોકલી છે. ચૂંટણી કમિશને કોંગ્રેસના ચૂંટણી અભિયાન પર સખત વલણ અપનાવીને રાફેલ વિશેની જાહેરાતો પર રોક લગાવી દીધી છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે નવ જાહેરાતોને ચૂંટણી કમિશન પાસે મંજૂરી માટે મોકલી હતી. આ 9માંથી 6 વીડિયો જાહેરાતો પર ચૂંટણી કમિશને વાંધો દર્શાવીને આના પર રોક લગાવી દીધી છે. આ પહેલા ચૂંટણી કમિશે બધી રાજકીય પાર્ટીઓમાંથી સેનાના ફોટાના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી.












Click it and Unblock the Notifications
