એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનાર સામ પિત્રોડાને કોંગ્રેસે આપી મોટી જવાબદારી
લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ તરફથી સામ પિત્રોડા ચૂંટણી પ્રચારની મોનિટરીંગ કમિટીના પ્રમુખ હશે.
લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ તરફથી સામ પિત્રોડા ચૂંટણી પ્રચારની મોનિટરીંગ કમિટીના પ્રમુખ હશે. આ ઉપરાંત આ કમિટીમાં કોંગ્રેસના ઘણા નેતા જેવા કે પવન ખેડા, રોહલ ગુપ્તા, પ્રવીણ ચક્રવર્તી, પ્રિયંકા ચતુર્વેદી, દિવ્યા સ્પંદના અને મનીષ ચતરાને પણ શામેલ કરવામાં આવ્યા છે. કમિટીના સભ્ય લોકસભા ચૂંટણી પ્રચારનું મોનિટરીંગ કરશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ પ્રચાર માટે એડ એજન્સી પણ હાયર કરી લીધી છે.

તમને જણાવી દઈએકે હાલમાં જ સામ પિત્રોડાએ પુલવામાં હુમલા પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, 'મને પુલવામા હુમલા વિશે વધુ જાણ નથી પરંતુ આવા હુમલા થતા રહે છે, મુંબઈની તાજ હોટલ અને ઓબેરૉય હોટલમાં પણ હુમલા થયા. અમે પણ એ વખતે પ્રતિક્રિયા આપી શકતા હતા અને પોતાના વિમાન મોકલી શકતાહતા પરંતુ આ રીતે કરવાનું યોગ્ય ન ગણાતુ. તેમણે મુંબઈના 26/11 હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આઠ લોકો આવે છે અ કંઈ કરે તો તેના માટે તમે સમગ્ર દેશ (પાકિસ્તાન) ને દોષી ન ગણી શકો.' પિત્રોડાના આ નિવેદન બાદ સત્તાધારી પાર્ટી ભાજપે ખૂબ નિશાન સાધ્યુ હતુ.
ત્યારબાદ શનિવારે સામ પિત્રોડાએ શનિવારે કહ્યુ કે તેમણે સેનાના જવાનો કે પછી સુરક્ષા બળો માટે કંઈ પણ અપમાનજનક નથી કહ્યુ. આ સાથે તેમણે પોતાની ટિપ્પણી પર પીએ મોદી અને સરકારના અન્ય મોટા લોકોના દાવાને ખોટો ગણાવ્યો છે. સામ પિત્રોડાએ કહ્યુ કે તેમની ટિપ્પણીઓની જે 40 મિનિટની ટેપે તોફાન ઉભુ કર્યુ છે તેને દરેક જણ સાંભળી શકે છે. તે દરેકના માટે ઉપલબ્ધ છે અને જો કોઈ તેમાંથી એવુ કંઈ કાઢી દે જે આપણા જવાનો કે આપણી સેના માટે ક્યાંયથી અપમાનજનક છે તો હું માફી માંગવા માટે તૈયાર છુ. અન્યથા પીએમ મોદી સહિત અમિત શાહ અને જેટલીને એક સાર્વજનિક મંચ પર ચર્ચા કરવાનો પડકાર ફેકુ છુ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
