લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ - RSS વચ્ચે મહાભારત યુદ્ધ થશે : ચિદમ્બરમ
તિરૂચિરાપલ્લી, તમિલનાડુ, 27 ઓક્ટોબર : નાણા મંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી 2014 એ કોંગ્રેસ અને આરએસએસ વચ્ચે મહાભારતનું યુદ્ધ બની રહેશે. આ એ જ આરએસએસ છે જેણે નરેન્દ્ર મોદીને ભાજપના પીએમ પદના ઉમેદવાર બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.
શનિવારે તમિલનાડુના તિરૂચિરાપલ્લીમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી એક જાહેર સભામાં સંબોધન કરતા સમયે ચિદમ્બરમે જણાવ્યું કે પોતાને એક સાંસ્કૃતિક અને બિન રાજકીય સંગઠન ગણાવનાર આરએસએસ વાસ્તવમાં પોતાની રાજકીય પાંખના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. વર્તમાન સમયમાં આરએસએસ સાંપ્રદાયિકતાના મુદ્દે લોકોમાં સૂર અને અસૂરોના બીજ રોપી રહ્યું છે.

ચિદમ્બરમે ભાજપ શાસિત ગુજરાત અને તેના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા જણાવ્યું કે ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર્સમાં અનેક મુસ્લિમ યુવાઓ માર્યા ગયા હતા. ચિદમ્બરમે જણાવ્યું કે જ્યારે તેઓ ગૃહ મંત્રી હતા ત્યારે તેમણે એક પણ એન્કાઉન્ટર થવા દીધા ન હતા. મેં સુરક્ષાદળોને આદેશ આપ્યા હતા કે આતંકવાદીઓ કે ગુનેગારો જ્યાં સુધી ગોળીબાર ના કરે ત્યાં સુધી તેમને જીવીત પકડવા.












Click it and Unblock the Notifications
