રાહુલ ગાંધી-સંજય રાઉત વચ્ચે લાંબી મુલાકાત, કોંગ્રેસ વિના વિપક્ષનો મોરચો શક્ય નથી-સંજય રાઉત
રાજ્યસભાના સાંસદ અને શિવસેનાના નેતા સંજય રાઉતે મંગળવારે દિલ્હીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી અને સંજય રાઉત વચ્ચે મુલાકાત લાંબી ચાલી હતી.
નવી દિલ્હી, 07 ડિસેમ્બર : રાજ્યસભાના સાંસદ અને શિવસેનાના નેતા સંજય રાઉતે મંગળવારે દિલ્હીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી અને સંજય રાઉત વચ્ચે મુલાકાત લાંબી ચાલી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે રાહુલ ગાંધી સાથે રાજનીતિ પર લાંબી ચર્ચા થઈ. વિપક્ષને કેવી રીતે એકજુટ રાખી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને જો વિપક્ષનો એક મોરચો બને તો તે કોંગ્રેસ વિના શક્ય નથી.

સંજય રાઉતે મીટિંગ બાદ મીડિયાને કહ્યું કે, રાહુલ ગાંધી સાથે લાંબી વાતચીત થઈ છે, જે વાતચીત થઈ છે તે રાજકીય છે. બધુ બરાબર છે પરંતુ જે પણ ચર્ચા થશે તે પહેલા પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેજીને જણાવાશે. તે પછી જ મીડિયાને કંઈક કહી શકાશે, શિવસેનાનું માનવું છે કે એકજૂટ વિપક્ષ હોવો જોઈએ તે જરૂરી છે. કોંગ્રેસ વગર બીજેપી સામે કોઈ ગઠબંધન ચાલી શકે નહીં.
તેમણે કહ્યું કે જો આવું ગઠબંધન થશે તો કોંગ્રેસ સાથે પણ ગઠબંધન થશે. તેનાથી ભાજપને જ ફાયદો થશે. સંજય રાઉતે કહ્યું કે અમે રાહુલ ગાંધી સાથે લાંબી વાતચીત કરી, જે વાતચીત થઈ છે તેનો સંદેશ છે કે બધુ બરાબર છે. સૌથી પહેલા હું મારા પક્ષના વડાને કહીશ કે મેં રાહુલ ગાંધી સાથે શું વાત કરી છે. હું ઉદ્ધવજીને કહીશ, હું આદિત્યજીને કહીશ. પછી હું તમને કહીશ.
સંજય રાઉતે કહ્યું કે આવનારી ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ છે. વાત રાષ્ટ્રીય રાજનીતિની થઈ રહી છે. શરદ પવારજી જેવા વરિષ્ઠ નેતાઓ ટીએમસી અને કોંગ્રેસને સાથે લાવવા માટે પૂરતા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ વિપક્ષ પર શું કહ્યું તેની પણ ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી મુંબઈ આવવાના છે. આનો નિર્ણય એક કાર્યક્રમમાં (27-28 ડિસેમ્બરે) કરવામાં આવી રહ્યો છે. તે દરમિયાન જો ઉદ્ધવ ઠાકરે કામ પર પાછા ફરે છે તો મુલાકાત થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે મમતા બેનર્જી આજકાલ કોંગ્રેસ વિરૂદ્ધ ઉગ્ર નિવેદનો કરી રહ્યાં છે. જેને લઈને રાજનીતિ ગરમાઈ છે.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
