વિહિપે ફરી આલાપ્યો લવ જેહાદનો રાગ : ત્રણેય ખાન પર સાધ્યા નિશાન

દહેરાદૂન, 2 માર્ચ : વિહિપ નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વાર વિવાદિત નિવેદન આપી ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ વખતે તેમણે ખાન ત્રિપૂટી પર પોતાના નિશાને સાધ્યા છે..

દેહરદૂનમાં આયોજીત વિશ્વ હિંદૂ પરિષદની સભાને સંભોધિત કરતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે લોકોએ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જેવા ફિલ્મ સ્ટોર્સની ફિલ્મો ના જોવી જોઇએ અને તેમના ફોટા પણ પોતાના ઘરમાં ના લગાવા જોઇએ કારણ કે આ બધી વસ્તુઓ લવ-જેહાદને પ્રોસ્તાહન આપે છે.

vhp

વધુમાં સાધ્વી પ્રાચીએ કહ્યું કે લવ જેહાદ કોઇના માટે પણ આદર્શ નથી. આ એક રીતે જબદસ્તીથી કરેલું ધર્માંતરણ છે જેનો વિરોધ બધાએ કરવો જોઇએ. તેમણે કહ્યું કે શાહરૂખ ખાને હિંદૂ યુવતી ગૌરી સાથે લગ્ન કર્યા છે. આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવ પણ હિંદૂ જ છે અને સલમાન ખાને પણ અનેક હિંદૂ છોકરીઓ સાથે લવ અફેર કર્યા છે

એટલું જ નહીં ક્રોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પર પણ સાધ્વીએ નિશાનો સાંધતા કહર્યું કે રાહુલે જલ્દી જ લગ્ન કરી લેવા જોઇએ. વધુમાં સાધ્વીએ ફરી હિંદૂઓને વધુમાં વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી હતી.

નોંધનીય છે કે હાલમાં જ સાધ્વીની ઓછામાં ઓછા ચાર બાળકો પેદા કરવાની અપીલ પર ભારે બબાલ થઇ હતી. એટલું જ નહીં થોડા જ સમય પહેલા વિહપના એક મેગેઝિનમાં કરીના કપૂરનો ફોટો મૂકી લવ જેહાદનો નારો લગાવ્યો હતો જેની પર પણ ભારે બબાલ થઇ હતી.

નોંધનીય છે કે દિલ્હીમાં ભાજપની કારમી હારનું એક કારણ ભાજપની એક પાંખ વિહપના આવા ધર્માંતરણના મુદ્દોઓને પ્રોત્સાહન આપવાના કારણે થઇ હોવાનું મનાઇ રહ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં સાધ્વી પ્રાચીની આવી ટિપ્પણીઓ બીજેપીની મુશ્કેલીમાં વધારો કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X