#MeToo: એમ જે અકબરે કોર્ટમાં રમાનીના વકીલના સવાલો પર કહ્યુ, મને યાદ નથી
ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ પ્રિયા રમાનીના વકીલના સવાલો પર એમ જે અકબરે વારંવાર એ જવાબ આપ્યો કે તેમને કંઈ યાદ નથી.
પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબરે શનિવારે કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યુ. તેમણે પત્રકાર પ્રિયા રમાની સામે દાખલ કરેલ માનહાનિ કેસમાં દિલ્લીની એક કોર્ટ સમક્ષ નિવેદન નોંધાવ્યા. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ પ્રિયા રમાનીના વકીલના સવાલો પર તેમણે વારંવાર એ જવાબ આપ્યો કે તેમને કંઈ યાદ નથી. પ્રિયા રમાનીના વકીલે ક્રોસ એક્ઝામિનેશન કરીને આ સવાલો પૂછ્યા. આ કેસની આગામી સુનાવણી 20મેના રોજ થશે.

એમ જે અકબરે આરોપોને ખોટા ગણાવ્યા
એમ જે અકબર એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલ સામે હાજર થયા. તેમણે પોતાની સામે લાગેલા આરોપોને દૂર્ભાવનાપૂર્ણ અને માનહાનિકારક ગણાવ્યા. ગયા વર્ષે ઓક્ટોબરમાં રમાની ઉપરાંત ઘણી મહિલાઓએ પૂર્વ વિદેશ રાજ્ય મંત્રી એમ જે અકબર પર યૌન શોષણ અને દૂરાચારના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ. ત્યારબાદ એમ જે અકબરે પ્રિયા રમાની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો.

મને કંઈ યાદ નથી
રમાની તરફથી રજૂ થયેલ વકીલ રેબકા જૉન એમ જે અકબરને સવાલ પૂછ્યા. આ સવાલ રમાનીને ‘ધ એશિયન એજ'માં કામ કરવા સહિત ઘણી અન્ય વાતો વિશે હતા. અકબરે મોટાભાગના સવાલોના જવાબમાં કહ્યુ કે તેમને યાદ નથી. અદાલતમાં લગભગ બે કલાક સુધી સુનાવણી ચાલી. આ મામલે આગામી સુનાવણી 20 મેના રોજ થશે.

રમાનીએ દાખલ કરી હતી અરજી
ગયા મહિને પ્રિયા રમાનીએ એમ જે અકબર દ્વારા દાખલ કરેલ કેસમાં પોતાના પર આરોપ હટાવવા માટે કોર્ટેમાં અરજી દાખલ કરી હતી. મી ટુ અભિયાન હેઠળ તેમણે આરોપ લગાવ્યો હતો કે 20 વર્ષ પહેલા અકબરે તેમનુ યૌન શોષણ કર્યુ હતુ. જો કે અકબરે પોતાના પર લાગેલા આરોપોનો ઈનકાર કર્યો હતો. ગયા વર્ષે 17 ઓક્ટોબર 2018ના રોજ આ આરોપોના કારણે પોતાના પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
