For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશઃ કમલનાથ સરકારનું સંકટ ટળ્યું, વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત

મધ્ય પ્રદેશઃ કમલનાથ સરકારનું સંકટ ટળ્યું, વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કાર્યવાહીને 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 22 ધારાસભ્યોના રાજીનામા બાદ ઘેરાયેલ કમલનાથ સરકાર માટે આ રાહતના સમાચાર છે. અગાઉ પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને સીએમ કમલનાથને કહ્યું હતું કે તેઓ 16 માર્ચ એટલે કે સોમવારે વિધાનસભામાં પોતાનું બહુમત સાબિત કરે. પરંતુ વિધાનસભામાં રાજ્યપાલ લાલજી ટંડનના અભિભાષણ બાદ સદનની કાર્યવાહીને 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

વિધાનસભાની કાર્યવાહી સ્થગિત

વિધાનસભાની કાર્યવાહી સ્થગિત

ન્યૂજ એજન્સી એએનઆઈ મુજબ કોરોનાવાઈરસને પગલે મધ્ય પ્રદેશની વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસી ધારાસભ્યોએ સદનની કાર્યવાહી સ્થગિત કરાયા બાદ ભારે નારેબાજી કરી. જેના જવાબમાં ભાજપના ધારાસભ્ય પણ નારેબાજી કરતા જોવા મળ્યા. વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરાયા બાદ ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે લોકતંત્રની હત્યા કરી.

કમલનાથ સરકારનું સંકટ ટળ્યું

કમલનાથ સરકારનું સંકટ ટળ્યું

અગાઉ વિધાનસભાની કાર્યવાહી શરૂ થયાના ઠીક પહેલા સીએમ કમલનાથે રાજ્યપાલ લાલજી ટંડનને પત્ર લખ્યો હતો અને ભાજપ પર કોંગ્રેસના કેટલાય ધારાસભ્યનો બંધક બનાવવાનો આરોપ લાગ્યો હતો. સીએમ કમલનાથે રાજ્યપાલને પત્ર લખી કહ્યું હતું કે ફ્લોર ટેસ્ટનું જસ્ટિફિકેશન એ સ્થિતિમાં જ છે જ્યારે તમામ ધારાસભ્ય દબાણમુક્ત થયા અને પ્રતિબંધોથી મુક્ત થાય. આવું ના થવા પર ફ્લોર ટેસ્ટ અલોકતાંત્રિક અને અસંવૈધાનિક હશે.

બંને તરફ નારેબાજી

બંને તરફ નારેબાજી

સોમવારે તમામની નજર વિધાનસભાની કાર્યવાહી પર હતી. જેની શરૂઆત રાજ્યપાલના અભિભાષણથી થઈ. પોતાના અભિભાષણ દરમિયાન કહ્યું કે એમપીમાં સંવૈધાનિક મૂલ્યોની રક્ષા થાય. રાજ્યની સ્થિતિને જોતા તમામ પોતાનું દાયિત્વ નિભાવે અને મધ્ય પ્રદેશના ગૌરવની રક્ષા થાય. જણાવી દઈએ કે 22 ધારાસભ્યોના રાજીનામા બાદ પ્રદેશની કમલનાથ સરકાર સંકટમાં ઘેરાઈ ગઈ છે. રાજ્યપાલે સીએમ કમલનાથને નિર્દેશ આપ્યો હતો કે આજે બહુમત પરીક્ષણ કરાવે પરંતુ હવે સદનની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરાયા બાદ આ મામલે રાજકારણ ગરમાવો પકડી શકે છે.

શું ગરમી વધવાથી ખતમ થઈ જશે Coronavirus, જાણો શું કહે છે એક્સપર્ટશું ગરમી વધવાથી ખતમ થઈ જશે Coronavirus, જાણો શું કહે છે એક્સપર્ટ

English summary
madhya pradesh assembly adjourned till 26th march
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X