Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Maharashtra: યવતમાલ પુરમાં ફસાયેલા 40 લોકોનુ વાયુસેનાએ કર્યું રેસક્યુ, ઓરેન્જ એલર્ટ જાહેર

મહારાષ્ટ્રમાં ચાલુ ચોમાસાના વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. યવતમાલ જિલ્લામાં અવિરત વરસાદ બાદ અનેક લોકો પૂરમાં ફસાયા હોવાના સમાચાર છે, જેમના માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

વરસાદને કારણે યવતમાળના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ લોકોના ઘરમાં ઘુસી ગયો છે. બીજી તરફ પુષ્પાવતી નદીના જળસ્તરમાં વધારો થતાં આનંદ નગર ગામમાં અનેક લોકો ફસાયા છે, તેમને બચાવવા માટે એરફોર્સનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

Maharastra

આ પહેલા મહારાષ્ટ્રના રાયગઢના ખાલાપુર તહસીલના ઈરશાલવાડી ગામમાં ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 26 થઈ ગયો છે, જ્યારે 82 લોકો હજુ પણ લાપતા છે. જ્યાં NDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી.

અહીં, યવતમાલના કલેક્ટર અમોલ યેગેએ કહ્યું કે જિલ્લાના મહાગાંવમાં ફસાયેલા લોકોને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવશે. હવામાન સુધર્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. યવતમાલ જિલ્લામાં ઘરની દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. SDRF દ્વારા 5 અલગ-અલગ સ્થળોએ બચાવ કામગીરી ચાલી રહી છે.

પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એરફોર્સના Mi-17 હેલિકોપ્ટરને બોલાવવામાં આવ્યું છે. એસડીઆરએફની ટીમો પાંચ જગ્યાએ તૈનાત છે. નાગપુરના ડિફેન્સ પીઆરઓ વિંગ કમાન્ડર રત્નાકર સિંહે માહિતી આપી હતી કે જિલ્લા વહીવટીતંત્રની માંગના આધારે, યુવતમાલ જિલ્લામાં પૂરના કારણે ફસાયેલા 40 લોકોને બહાર કાઢવા માટે નાગપુરથી એક Mi-17 V5 હેલિકોપ્ટરને સામેલ કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ હવામાન વિભાગે રવિવાર માટે મહારાષ્ટ્રના પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X