મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી 90ના મોત, 1500 હજી દર્દી સારવાર હેઠળ

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી 90ના મોત, 1500 હજી દર્દી સારવાર હેઠળ

મહારાષ્ટ્રમાં મ્યૂકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ ઈંફેક્શનથી અત્યાર સુધી 90 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના હજી પણ 1500 દર્દીઓ સારવાર હેઠળ છે. મહારાષ્ટ્રના જન સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ જાણકારી આપી છે. ગયા વર્ષે કોરોનાવાયરસ સંક્રમણની શરૂઆતમાં પણ બ્લેક ફંગસના મામલા સામે આવ્યા હતા પરંતુ કોરોનાની બીજી લહેરમાં આ મામલા વધુ જોવા મળી રહ્યા છે. જેનો ખતરો મોટાભાગે એવા દર્દીઓમાં વધુ જોવા મળી રહ્યો છે જેમને ડાયાબિટીજ છે અને કોરોના પણ થયો હોય. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં મ્યૂકરમાઈકોસિસને કારણે અત્યાર સુધીમાં 90 લોકોના મોત થયાં છે. આ સ્થિતિ બહુ ગંભીર છે. માટે આપણે તેને હળવામાં ના લેવી જોઈએ.

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસનો કહેર

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસનો કહેર

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, આપણે બ્લેક ફંગસના કેસ રોકવા માટે કોવિડના ઈલાજમાં અંધાધુંધ સ્ટેરૉયડના ઉપયોગથી બચવું જોઈએ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે હાલમાં લગભગ 1500 દર્દીઓ મ્યૂકરમાઈકોસિસથી પીડિત છે. મ્યૂકરમાઈકોસિસને લઈ આગલા 10 દિવસ અતિ મહત્વપૂર્ણ છે અને માટે રાજ્ય દ્વારા એમ્ફોટેરિસિન-બી ઈંજેક્શન વહેંચવાની માંગ કરવામાં આવી શકે છે, જે મ્યૂકરમાઈકોસિસના ઈલાજમાં એક જીવન રક્ષક દવા છે. રાજેશ ટોપેએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર મહાત્મા જોયતિરાવ ફુલે જન આરોગ્ય યોજના અંતર્ગત તમામ રાશન કાર્ડ ધારકોનો મફત ઈલાજ ઉપલબ્ધ કરાવશે.

મહારાષ્ટ્રમાં હજી 1500 દર્દીઓ

મહારાષ્ટ્રમાં હજી 1500 દર્દીઓ

રાજેશ ટોપેએ કહ્યું કે, વર્તમાનમાં મહારાષ્ટ્રમાં મ્યૂકરમાઈકોસિસના 1500 દર્દી છે. જેમાંથી 850 દર્દી સક્રિય છે અને 500નો ઈલાજ કરવામાં આવી ચૂક્યો છે. આ મામલે અમે કેન્દ્રને ઈંજેક્શન ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો છે. 2 લાખ જેટલાં ઈંજેક્શનની જરૂરત પડશે. પરંતુ ભારત સરકારે તમામ આપૂર્તિને વિનિયમિત કરી છે. કેન્દ્રને અમે જલદી જ એમ્ફો-બીની વહેંચણીની માંગ કરીએ છીએ. આપૂર્તિકર્તાઓએ અમને સૂચિત કર્યા કે મ્યૂકરમાઈકોસિસના ઈંજેક્શન 31 મે બાદ ઉપલબ્ધ થશે, માટે 10થી 11 દિવસ મહત્વપૂર્ણ છે.

1.5 લાખ રૂપિયાનું કવર

1.5 લાખ રૂપિયાનું કવર

રાજેશ ટોપેએ કહ્યું કે, 'આ બીમારીના ઈલાજ માટે પ્લાસ્ટિક સર્જન, ન્યૂરોસર્જન, ડેન્ટિસ્ટ બધાની જરૂરત છે. મહાત્મા જ્યોતિરાવ ફુલે જન આરોગ્ય યોજના અંતર્ગત 1000 હોસ્પિટલને સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે, જ્યાં મહારાષ્ટ્રમાં મફતમાં ઈલાજ કરવામાં આવશે. યોજના અંતર્ગત 1.5 લાખ રૂપિયાનું કવર મળે છે, પરંતુ મોંઘા ઈંજેક્શન સહિત રાજ્ય આ યોજનાને મફતમાં પૂરું કવર ઉપલબ્ધ કરાવી રહ્યું છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X