મહારાષ્ટ્રમાં રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરીઃ સૂત્ર
મહારાષ્ટ્રમાં રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરીઃ સૂત્ર
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની રાજનીતિને લઈ બહુ મહત્વના સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના હવાલેથી મળેલ માહિતી મુજબ મહારાષ્ટ્રના રાજ્યપાભગત સિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કેબિનેટે પણ રાષ્ટ્રપતિ શાસનની ભલામણને મંજૂરી આપી દીધી છે. જો કે રાષ્ટ્રપતિ શાસનની ભલામણને લઈ હજુ સુધી રાજભવનથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જ્યારે, એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રાજભવને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણના અહેવાલોનું ખંડન કર્યું છે.

જ્યારે સૂત્રોના હવાલેથી અહેવાલ મળ્યા છે કે જો રાજ્યપાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવે છે તો શિવસેના સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે વાત કરી છે. જ્યારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનના અહેવાલોને લઈ શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ સવાલ ઉઠાવતા ટ્વીટ કર્યું કે, માનનીય રાજ્યપાલ સરકાર બનાવવા માટે એનસીપીને આપેલ સમય વિતે તે પહેલા રાષ્ટ્રપતિ સાસનની ભલામણ કેવી રીતે કરી શકે છે?
એનસીપીએ પ્રવક્તા નવાબ મલિકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આજે અમારી પાર્ટી એનસીપીની બેઠક થઈ. બેઠકમાં તમામ 54 ધારાસભ્યો હાજર હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યમાં અનિશ્ચિતતાને જોતા અમે શરદ પવારને વૈકલ્પિક સરકાર પર નિર્ણય લેવાનો અધિકાર આપીશું. આના માટે એક સમિતિ બનાવવામાં આવશે, જેનું નેતૃત્વ શરદ પવાર કરશે. રાજ્યપાલે અમને કાલે સરકાર બનાવવાની દાવેદારી રજૂ કરવા માટે બોલાવ્યા હતા અને આજ રાતના 8.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ મુંબઈ આવી રહ્યા ચે અને તે લોકો આજે સાંજે 5 વાગ્યા સુધી શરદ પવાર સાથે મુલાકાત કરશે. તેમની સાથે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
