Maharashtra NCP Crisis: અજીત પવાર 30 MLA સાથે ભાજપમાં થઈ શકે છે સામેલ, શરદ પવારે કહ્યુ - અફવા
Maharashtra NCP Crisis: મહારાષ્ટ્રમાં એક સપ્તાહથી વધુ સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે સૂત્રો પાસેથી મોટા સમાચાર આવી રહ્યા છે. જો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર ભાજપ સાથે હાથ મિલાવે છે તો તેમની સાથે 30થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.
જો કે એનસીપી પ્રમુખ શરદ પવારનું કહેવું છે કે આ માત્ર અફવા છે. મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે કહ્યુ કે જો અજિત પવાર એનસીપી છોડવાનો નિર્ણય લેશે તો તેમની પાર્ટી તેમને આવકારવા માટે ખુશ થશે.

શરદ પવારે મંગળવારે (18 એપ્રિલ) તેમના ભત્રીજા અજિત પવારના ભાજપમાં જોડાવાના અહેવાલોને ફગાવી દીધા હતા. શરદ પવારે કહ્યું કે અજિત પવાર ચૂંટણી સંબંધિત કામમાં વ્યસ્ત છે અને પાર્ટીમાં ચાલી રહેલી કટોકટી અંગેના તમામ અહેવાલો માત્ર અફવા છે.
ટીવી રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જો અજિત પવાર સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાનું નક્કી કરે છે, તો NCPના 53માંથી 34 ધારાસભ્યો તેમની સાથે રહેશે અને ભાજપમાં જોડાશે. શરદ પવારના ભત્રીજા અજિત પવારનું સમર્થન ધરાવતા NCPના બે ધારાસભ્યોએ કહ્યું કે તેઓ તેમના નેતા અજિત પવારને વફાદાર રહેશે, તેઓ આગામી દિવસોમાં જે પણ નિર્ણય લેશે.
તમને જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપ અને એનસીપી વચ્ચેનો તાલમેલ પહેલા કરતા વધુ છે. જો કે, અજિત પવારે સોમવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે તેમણે 18 એપ્રિલે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી.
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે એનસીપીના વડા શરદ પવારે તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે તેમની પાર્ટી ક્યારેય ભાજપ સાથે હાથ નહીં મિલાવે. જો કોઈ આ કરવા માંગતુ હોય તો તે તેમનો વ્યક્તિગત નિર્ણય હશે.
Ajit Pawar is busy with election-related work. All this talk is only in the media: NCP chief Sharad Pawar amid speculations of Ajit Pawar's alleged rebellion pic.twitter.com/clMTAQ8bcE
— ANI (@ANI) April 18, 2023












Click it and Unblock the Notifications
