સીએમ એકનાથ શિંદેની મુલાકાત બાદ ઉદ્ધવ જુથે બાલાસાહેલ ઠાકરે સ્મારકનુ કર્યુ ગૌમુત્રથી શુદ્ધિકરણ
ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદે બુધવારે શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેના સ્મારક પર પહોંચ્યા હતા. અહી તેમની મુલાકાત પછી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે બાળાસાહેબ ઠાકરે સ્મારકને ગૌમૂત્
ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદે બુધવારે શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેના સ્મારક પર પહોંચ્યા હતા. અહી તેમની મુલાકાત પછી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે બાળાસાહેબ ઠાકરે સ્મારકને ગૌમૂત્રથી શુદ્ધ કર્યું હતુ.
શિવસેનાના દિવંગત સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની દસમી પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ બુધવારે એકનાથ શિંદે ઠાકરે મેમોરિયલ પહોંચ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે પ્રતિસ્પર્ધી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જુથ સાથે કોઈ અથડામણ ટાળવા માટે શિંદે ઠાકરેની પુણ્યતિથિના એક દિવસ પહેલા સ્મારક પર પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
બીજી બાજુ એકનાથ શિંદે ઠાકરેના સ્મારકની મુલાકાત લીધા પછી તરત જ શિવસેના એટલે કે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના કાર્યકરો શિવાજી પાર્ક ખાતેના સ્મારક પર એકઠા થયા અને દરેક જગ્યાએ ગૌમૂત્ર અને પાણીનો છંટકાવ કરીને તેને શુદ્ધ કર્યું હતુ.
ઉદ્ધવ ઠાકરેના જૂથના શિવસૈનિકોના આ કૃત્યની શિંદે જૂથે ટીકા કરી હતી. બાલાસાહેબચી શિવસેનાના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું કે, "અમે આ કૃત્યની નિંદા કરીએ છીએ. બાલાસાહેબ કોઈ એક વ્યક્તિ કે એક પક્ષના નહોતા... દરેક પક્ષમાં તેમનું માન અને સન્માન હતું."