Delhi: અનાજ મંડીમાં લાગી ભીષણ આગ, 30 લોકોએ જીવ ગુમાવ્યા
Delhi: અનાજ મંડીમાં લાગી ભીષણ આગ, 30 લોકોએ જીવ ગુમાવ્યા
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આજે સવારે ભીષણ આગ લાગી હોવાના અહેવાલ સામે આવ્યા છે. જાણકારી મુજબ આ આગ દિલ્હીની અનાજ મંડીમાં લાગી છે જે રાણી ઝાંસી રોડ પર આવેલ છે. આજે વહેલી સવાર આગ લાગી હતી. ઘટના સ્થળે દોડી આવેલ ફાયર બ્રિગેડની ટીમે 11 લોકોને સફળતાપૂર્વક આગમાંથી બહાર કાઢી હોસ્પિટલે દાખલ કર્યા છે. જાણકારી મુજબ 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, અને રાહત તથા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘટના સ્થલે હાલ ફાયર બ્રિગેડની 15 ગાડીઓ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.
ઘટનાને પગલે દિલ્હી પોલીસ પણ અનાજ મંડીએ પહોંચી ગઈ છે. કયા કારણોસર આગ લાગી તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે 30 લોકોના મૃત્યુ થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ફાયર ફાઈટરની ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. મૃતકોની સંખ્યામાં હજી પણ વધારો થાય તેવી આશંકા છે.
ઉન્નાવ રેપ કેસ: પીડિતાના ઘરે પહોંચ્યા સાક્ષી મહારાજ, લોકોએ કર્યો વિરોધ
Delhi: Fire broke out at a house in Anaj Mandi, Rani Jhansi Road in the early morning hours today, 11 people rescued so far; 15 fire tenders present at the spot pic.twitter.com/GG5mLEVVrf
— ANI (@ANI) December 8, 2019