શ્રીનગર-કુપવાડા હાઈવે પર મોટો આતંકી હુમલો ટળ્યો, સેનાએ 3 સિલિન્ડર બોમ્બ નષ્ટ કર્યા
સેનાની સતર્કતાને કારણે શ્રીનગર-કુપવાડા હાઈવે પર હંદવાડા નજીક શુક્રવારે એક મોટો આતંકવાદી હુમલો ટળ્યો છે.
એક રોડ ઓપનિંગ પાર્ટીએ કુપવાડા જિલ્લામાં સ્થિત એક નગર લંગેટ નજીક ત્રણ 10 કિલોના એલપીજી સિલિન્ડરો સાથે જોડાયેલા હાઇ-પાવર્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસને નષ્ટ કર્યા છે.

આ IED કુપવાડાથી શ્રીનગરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મળી આવ્યો છે. અહીંથી લગભગ 1000 નાગરિક વાહનો અને 200 સંરક્ષણ વાહનોએ પસાર થયા હતા.
આ વિસ્તારમાં હાજર એર ડિફેન્સ યુનિટના કોલમ દ્વારા IED શોધી કાઢવામાં આવ્યો અને પોલીસ અને સેનાએ સાથે મળીને તે જ જગ્યાએ આઈઈડીનો નાશ કર્યો.
ભારતીય સેનાની ચિનાર વોરિયર્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે લંગેટ-વોટરગામ રોડ પર આ IED રીકવર કરીને અને તેને સ્થળ પર નષ્ટ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, IED સાથે ઉત્તર કાશ્મીરના હંદવારા જિલ્લામાં રસ્તાના કિનારે શંકાસ્પદ રીતે 3 સિલિન્ડર પણ હતા, જે એકબીજા સાથે વાયરથી જોડાયેલા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નાના સિલિન્ડર ક્રોસિંગ પાસે ઝાડીઓમાં છુપાયેલા મળી આવ્યા છે. જે બાદ પોલીસ અને સેના દ્વારા સિલિન્ડરોનો નાશ કરવામાં આવ્યો હતો. વસ્તુઓનો નાશ ન થાય ત્યાં સુધી થોડો સમય વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.












Click it and Unblock the Notifications
