હાર્યા બાદ કોંગ્રેસ પર વરસ્યા શશી થરૂર, કહ્યું- ખડગેનું જીતવાનું પહેલેથી જ નક્કી હતું.
કોંગ્રેસ અઘ્યક્ષની ચૂંટણી પુરી થઈ ગઈ છે. એક તરફ મલ્લિકાર્જુન ખડગેની જંગી બહુમતીથી જીત થઈ છે તો બીજી તરફ શશી થરૂરને માત્ર જુજ મતો મળ્યા હતા. હવે મલ્લિકાર્જુન ખડગે 26 ઓક્ટોબરે પદના શપથ લેશે.
નવી દિલ્હી : કોંગ્રેસ અઘ્યક્ષની ચૂંટણી પુરી થઈ ગઈ છે. એક તરફ મલ્લિકાર્જુન ખડગેની જંગી બહુમતીથી જીત થઈ છે તો બીજી તરફ શશી થરૂરને માત્ર જુજ મતો મળ્યા હતા. હવે મલ્લિકાર્જુન ખડગે 26 ઓક્ટોબરે પદના શપથ લેશે. જો કે હવે ચૂંટણી પુરી થતા જ બયાનબાજી શરૂ થઈ ગઈ છે.
શશી થરૂરે હવે હાર બાદ કોંગ્રેસ પર મોટો આક્ષેપ કર્યો છે. શશી થરૂરે કહ્યું કે, કોંગ્રેસ રાષ્ટ્રિય અધ્યક્ષની ચૂંટણીમાં હારથી હું દુખી નથી. એ પહેલેથી જ નક્કી હતુ કે કોંગ્રેસ પહેલેથી મારા હરીફ સાથે ઉભી હતી. મેં સોનિયા ગાંધી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, આ કોઈ આશ્વયની વાત નથી. તમામે પોતે મત આપ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, મલ્લિકાર્જુન ખડગેની જીત થઈ ત્યારથી બન્ને પક્ષો વચ્ચે આરોપો લાગી રહ્યા છે. આ પહેલા શશી થરૂરના મુખ્ય ચૂંટણી એજન્ટ સલમાન સોજે મધુસુદન મિસ્ત્રીને પત્ર લખીને કહ્યું હતુ કે, કે, ચૂંટણીને લગતી બાબતોમાં વિશ્વાસની કમી છે. આ બાબતે મિસ્ત્રી નારાજ પણ થયા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની આંતરિક ચૂંટણીનો રિપોર્ટ પ્રદેશ નિર્વાચન અધિકારી અને સચિવે તૈયાર કર્યો છે.