અમિત શાહની રથયાત્રા નહી 'રાવણ યાત્રા' છે, શુદ્ધિકરણ કરવું પડશેઃ મમતા બેનરજી
અમિત શાહની રથયાત્રા નહી 'રાવણ યાત્રા' છેઃ મમતા બેનરજી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપની શરૂ થઈ રહેલી રથ યાત્રા પર પ્રહાર કરતા આ રથયાત્રાને રાવણ યાત્રાનું બિરુદ આપ્યું. કહ્યું કે એ વિસ્તારોને શુદ્ધ કરવાનું અભિયાન પણ ચલાવવામાં આવશે જ્યાંથી ભાજપની રથયાત્રા નીકળશે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ સમર્થકોને કહ્યું કે તેઓ આ રથયાત્રાની અવણગણના કરે.
મમતા બેનરજીઓ ભાજપની રથયાત્રા પર સવાલ ઉઠાવ્યા
મમતા બેનરજીએ ભાજપની રથ યાત્રા પર સવાલ ઉઠાવતા કહ્યું, મને અચરજ પામી રહ્યું છે કે ફાઈવ સ્ટાર સુવિધાથી યુક્ત રથોમાં આ કેવા પ્રકારની યાત્રા હશે? આ રાવણ યાત્રા છે, ન કે રથયાત્રા. એમણે આગળ કહ્યું, 'મારી પાર્ટીના કાર્યકરોને મેં કહી દીધું કે જે વિસ્તારોમાંથી આ રથયાત્રા નીકળે ત્યાં સફાઈ માટે શુદ્ધિકર અને એકતા યાત્રા આયોજિત કરે.'
મંજૂરી આપવામાં ટીએમસી જાણીજોઈને વિલંબ કરી રહી છેઃ ભાજપ
મમતા બેનરજીનું નિવેદન ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘો,ના એ આરોપો બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે આ મોટા આયોજનની મંજૂરી આપવામાં ટીએમસી જાણીજોઈને વિલંબ કરી રહી છે. એમણે કહ્યું, અમે બે અઠવાડિયા પહેલા સરકારને પ્રસ્તાવિત માર્ગની પૂરી વિગતો આપી હતી. અમે પ્રતિક્રિયા માટે ઈંતજાર કરી રહ્યા છીએ પરંતુ અનુમતિ આપવામાં વારંવાર બહાના કેમ આપી રહ્યાં છે.
રથયાત્રામાં મોદી પણ સામેલ થઈ શકે
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં બાજપ રથયાત્રા કાઢવા જઈ રહ્યું છે. પાર્ટી સૂત્રોનું કહેવું ે કે 2019ના લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનરજી સરકારની પોલ ખોલવા માટે આ યાત્રા સફળ થવી જરૂરી છે. મુખ્ય યાત્રા ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા રવાના કરવામાં આવશે જ્યારે અહેવાલ મળી રહ્યા છે, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ યાત્રામાં જોવા મળશે.