Lok Sabha elections 2024: ભાજપના 400 પારના નારા પર મમતા દીદીની ચેલેન્જ - 'પહેલા 200 સીટો જીતીને બતાવો'
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. આ ક્રમમાં તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. સીએમ મમતા બેનર્જીએ રવિવારે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના NDAના 400ને પાર કરવાના લક્ષ્યની મજાક ઉડાવી હતી.
મમતા દીદીએ TMC ઉમેદવાર મહુઆ મોઇત્રાના સમર્થનમાં કૃષ્ણનગરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે 400 પારનો નારો આપનાર ભાજપને ખુલ્લો પડકાર આપ્યો હતો તેને ઓછામાં ઓછી 200 બેઠકો જીતવાનો પડકાર ફેંક્યો હતો.

પોતાના ભાષણમાં મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપ '400 પાર' કહી રહી છે, હું તેમને પડકાર આપું છું કે તે પહેલા 200 સીટોનો બેન્ચમાર્ક પાર કરે. 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 200થી વધુ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ તેમને 77 પર અટકવુ પડ્યું. આ 77માંથી અમુક અમારી સાથે જોડાઈ ગયા.
એટલું જ નહીં, ભાજપને 'જુમલા' પાર્ટી ગણાવતા, TMC સુપ્રીમોએ તેમના પર નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંગે "જૂઠાણું ફેલાવવાનો" આરોપ પણ લગાવ્યો. મમતાએ કહ્યું કે તે રાજ્યમાં CAA લાગુ થવા દેશે નહીં. તેમણે લોકોને ચેતવણી આપી કે સીએએ માટે અરજી કરનાર કોઈપણ વિદેશી બની જશે.
બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું, "સીએએ એ કાયદેસર નાગરિકોને વિદેશી બનાવવાની જાળ છે. એકવાર તમે સીએએ લાગુ કરી દો પછી NRC પણ લાગુ કરવામાં આવશે. અમે પશ્ચિમ બંગાળમાં સીએએ કે એનઆરસીને મંજૂરી આપીશું નહીં. કેન્દ્ર સરકારના ખોટા આશ્વાસનમાં ના પડશો."
રમમતા બેનર્જીએ વિવારની રેલીમાં ઈન્ડિયા બ્લોકના ભાગીદારો CPI(M) અને કોંગ્રેસ પર પશ્ચિમ બંગાળમાં "ભાજપ સાથે હાથ મિલાવવાનો" આરોપ પણ મૂક્યો હતો. તેમણે કહ્યું, "પશ્ચિમ બંગાળમાં કોઈ ઈન્ડિયા ગઠબંધન નથી. સીપીઆઈ(એમ) અને કોંગ્રેસ બંગાળમાં ભાજપ માટે કામ કરી રહ્યા છે. મે આ ઈન્ડિયા બ્લોકની રચના કરી છે અને તેને આ નામ આપ્યું છે. ચૂંટણી પછી અમે તેના વિશે ધ્યાન આપશુ.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
