'કરોડો લોકોની કડવી યાદોને તાજી કરશે', CM મમતા બનર્જીએ પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસ મનાવા પર આપતિ વ્યક્ત કરી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ સીવી આનદ બોસ એક વાર ફરી ખૂલીને આમને સામને આવી ગયા છે. આ વખતે બંગાળ સ્થાપના દિવસને લઇને બંને વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમત્રી મમતા બેનર્જીએ 20 જુને બંગાળના સ્થાપના દિવસની ઉજવણી કરવાનો રજ્યપાલ સીવી આનંદ બોસના નિર્ણય પર સવાલ આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે આ મામલે રાજ્યપાલને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં મંગળવારે પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસ મનાવાનો આગ્રહ કર્યો છે.
સીએમ મમતા બેનર્જીએ કહ્યુકે, હુ એ જાણીને સ્તબ્ધ છુ કે, તમે 20 જુનનારોજ રાજબવનમાં ખે કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. સ્વતંત્રતા બાદથી આપણે પશ્ચિમ બંગાળમાં ક્યારેય પણ આનંદિત નથી થયા. આપણે વિભાજનને સાંપ્રદાયિક તાકતના પરિણામસ્વરૂપ જોયા છે. જેનો અત્યાર વિરોધ ના કરી શકાય
મામતા બેનર્જીએ કહ્યુ કે, પશ્ચિમ બગાળને 1947 માં સૌથી દર્દનાક પ્રક્રિયાના માધ્યમથી વિભાાજન બંગાળ રાજ્યથી અળગ કરવામાં આવ્યુ હતુ. સીમા પર લાખોલોકોનુ વિસ્થાપનનો પણ સમાવેશ થાય છે. લાખો પરિવારોના લોકોના મૃત્યુ થયા હતા. મુખ્યમંત્રીએ કહ્યુ કે, બંગાળનું વિભાજન રાજ્યના લોકોની દુ:ખદ નિયતી હતી.












Click it and Unblock the Notifications
