Mamata Banerjee : મમતા બેનર્જીએ INDIA ગઠબંધનના નેતા તરીકે સપોર્ટ કરનારા લોકોનો આભાર માન્યો
Mamata Banerjee : મમતા બેનર્જીએ ઈન્ડિયા ગઠબંધનના નેતા તરીકે તેમને સપોર્ટ કરનારા લોકોનો આભાર માન્યો છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, હું એ તમામ નેતાઓની આભારી છું જેમણે મને આ સન્માન આપ્યુ. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરૂ છું, તે અને તેમની પાર્ટી સારૂ કરે.

મમતા બેનર્જીએ હરિયાણા અને મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના ખરાબ પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, મેં ઈન્ડિયા ગઠબંધન કર્યું. જો તેનું નેતૃત્વ કરનારાઓ તેને યોગ્ય રીતે ચલાવી ન શકે તો પછી હું શું કરી શકું? હું તો એટલું જ કહીશ કે બધાને સાથે લઈને ચાલવું જોઈએ.
રે મમતા બેનર્જીને ઈન્ડિયા બ્લોકમાં નેતૃત્વ વિશે પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જો તક આપવામાં આવે તો હું બંગાળમાંથી જ ગઠબંધનનું નેતૃત્વ કરવા તૈયાર છું. હું બંગાળની બહાર જવા માંગતી નથી, પણ હું તેને અહીંથી ચલાવી શકું છું.
અહેવાલો અનુસાર, મમતા બેનર્જીને લાલુ પ્રસાદ યાદવ અને શરદ પવાર સહિતના ટોચના વિપક્ષી નેતાઓનું સમર્થન મળ્યું છે.
લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, બેનર્જીએ ઈન્ડિયા બ્લોકનું નેતૃત્વ કરવું જોઈએ, જે ભાજપનો સામનો કરવા લોકસભા ચૂંટણી પહેલા રચવામાં આવ્યુ હતુ. કોંગ્રેસના વાંધાઓનો કોઈ અર્થ નથી. અમે મમતા બેનર્જીને સમર્થન આપીશું. મમતાને નેતૃત્વ સોંપવું જોઈએ. અમે 2025માં ફરી સરકાર બનાવીશું.
શરદ પવારે કહ્યું કે, તે (મમતા બેનર્જી) આ દેશના અગ્રણી નેતા છે. તેમની પાસે તે ક્ષમતા છે. સંસદમાં તેમના દ્વારા ચૂંટાયેલા નેતાઓ જવાબદાર, સંનિષ્ઠ અને જાગૃત લોકો છે. તેમને આવું કહેવાનો અધિકાર છે સપા નેતા ઉદયવીર સિંહે પણ મમતા બેનર્જીના નિવેદનને સમર્થન આપ્યું છે.












Click it and Unblock the Notifications
